SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા.વ. ૧૦ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ.મુનિરાજ શ્રી પાર્થવિજયજી મહારાજ આદિઠાણા ક તરફથી. દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારા તરફથી પત્ર મળ્યો. વાંચી વિગત જાણી, જવાબમાં જણાવવાનું કે: ચૌદ સુપન, પારણાં, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બીલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠો છે. 5 દ : જિનેન્દ્રવિજયના ધર્મલાભ. , (૧૮) મુ. લીંબડી શ્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમીલાલ રતીલાલ મુ. વેરાવળ. યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો. બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિના ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેનો શાસ્ત્રમાં પાઠ પણ છે માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનામાં ઉદ્યમ રાખશો. 5 દ : ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.મશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજનો છે.) ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૭
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy