SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ઓગણીસ ભૂમિકા ક્ષત્રપકાલના ઇમારતી અવશેષોમાં ગુફાઓ, વિહારો અને ચૈત્યગૃહો જેવાં શૈલોત્કીર્ણ સ્થાપત્ય ઉપરાંત ઈંટરી વિહાર અને સ્તૂપના અવશેષ હાથવગા થયા છે. ઈંટરી વિહારોની છત અને એની દીવાલો તૂટી ગયેલાં હોવા છતાંય તેનું તલમાન યથાતથ જળવાઈ રહ્યું છે. કેટલીકવાર આ વિહારોની નજીકમાં એકાદ ઈંટેરી સ્તૂપ ઉપર છત કે આસપાસ કોઈ દીવાલ હોતી નથી. આ સમયના ગુજરાતમાંથી આવા ત્રણ નમૂના સંપ્રાપ્ત થયા છે. બોરિયા સ્તૂપ, ઈંટવાનો સ્તૂપ તથા દેવની મોરીનો મહાસ્તૂપ. લલિતકલા-૨ : ઈંટેરી સ્થાપત્ય બોરિયા સ્તૂપ જૂનાગઢ શહેરથી દક્ષિણ-પૂર્વમાં અગિયાર કિલોમીટરનાં તથા ગિરનાર દરવાજેથી દક્ષિણમાં પાંચ કિલોમીટૅરનાં અંતરે, ગિરનાં જંગલમાં દાતારના ડુંગરની દક્ષિણ-પશ્ચિમ તથા ગિરનારના દક્ષિણ ઢોળાવની દક્ષિણ-પૂર્વે, જૂનાગઢ રેલવે સ્ટેશનથી અગ્નિીકોણ તરફ છએક કિલોમીટરનાં અંતરે આવેલી બોરિયા નામની ખ્યાત ઉપત્યકાની દક્ષિણ-પશ્ચિમે આ સ્તૂપ સ્થિત છે. આ ઉપત્યકામાંથી ગુડાજળી અને હેમજળી નામનાં બે ઝરણાં વહે છે. એની પૂર્વમાં ત્રણ ફલાઁગ દૂર બોરદેવીનું મંદિર છે. બોરનાં પુષ્કળ વૃક્ષો આ ખીણમાં આવેલાં હોઈ આ વિસ્તાર ‘બોરિયાખીણ’થી ઓળખાય છે, જે ઉપરથી મંદિરનું નામ ‘બોરદેવી’ અને સ્તૂપનું નામ ‘બોરિયા સ્તૂપ' પડ્યું હોવાનું સૂચવાય છે. આ સ્તૂપની પાસે બીજા એક સ્તૂપ અને વિહારના અવશેષ હોવાની જાણકારી, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાની કચેરીએ કરેલી સ્થળતપાસથી, હાથવગી થઈ છે પણ એનું અદ્યાપિ વ્યવસ્થિત ઉત્ખનનકાર્ય હાથ ધરાયું નથી. આ સ્થળને લોકો ‘બડી લાખામેડી' કહે છે; કેમ કે લાખા નામનો બહારવટિયાનો વાસ અહીં હતો. જે. એમ. કૅમ્પબેલે ૧૮૮૮ના ડિસેમ્બરમાં આ સ્તૂપનું ખોદકાર્ય હાથ ધર્યું હતું ત્યારે તે શોધકાર્યને હેનરી કઝેન્સનું માર્ગદર્શન સંપ્રાપ્ત થયું હતું. આ ઉત્ખનનકામનો અહેવાલ તેથી એમણે પ્રકાશિત કરેલો. Jain Education International આ સ્તૂપ પાકી ઈંટોનો બનેલો છે. ઈંટોનું કદ ૪૬ X ૩૯ X ૯ સેંટીમીટરનું છે. એની આસપાસ નાના નાના ટીંબા છે. આથી, કઝેન્સે ત્યાં નાના સ્તૂપ હોવાનું અનુમાન કર્યું છે. સ્તૂપના આસપાસથી પ્રાપ્ત આરસની તક્તીઓ ઉપરથી સૂચવી શકાય કે સ્તૂપની વેદિકા તથા ટોચનું છત્ર સંભવતઃ પાષાણનું હોય. સ્તૂપ અકબંધ હાથ લાગ્યો ન હતો. પરંતુ કઝેન્સ નોંધે છે કે સ્તૂપના શિખરેથી ૧૨ મીટરની ઊંડાઈએથી એક સમુદ્ગક મળ્યો હતો. અને સમુદ્ગક તથા પાયાના ચણતર વચ્ચેનું ઈંટેરીકામ ૧૦-થી ૧૨ મીટરનું છે. તેથી સ્તૂપની ઊંચાઈ આશરે ૨૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy