SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સત્તર ૨૯૧ હતા૫૩. બૌદ્ધસંઘમાં ગૃહસ્થ ઉપાસક અને ઉપાસિકા પ્રવજ્યા લે ત્યારે તેને શ્રમણ અને શ્રમણીની અવસ્થા પ્રાપ્ત કરતા પૂર્વે શ્રામણેર અને ગ્રામણેરીની તાલીમ લેવી પડતી હતી. સાહિત્યિક, પુરાવશેષીય અને આભિલેખિક સામગ્રીના સંદર્ભે અત્યાર સુધીના વિવરણવિશ્લેષણથી સૂચિત થાય છે કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં બૌદ્ધધર્મનો ઘણો સારો વિકાસ થયો હતો. વલભી, જૂનાગઢ, દેવની મોરી વગેરે તે ધર્મના મહાન તીર્થ હોવાનું સંભવે છે". તીર્થભાવના અને પૂર્વકાર્ય વિવિધ ધર્મના ઉપર્યુક્ત વિવરણથી ક્ષત્રપકાલીન ગુજરાતના લોકોની તીર્થભાવના વિશેનો મત અભિવ્યક્ત થાય છે. ત્રણેય ધર્મ અને સંપ્રદાયોના તીર્થોના નિર્દેશ પ્રસ્તુત મંતવ્યને સમળે છે. આંધૌના ચાર યષ્ટિલેખનો હેતુ, ગુંદાના લેખમાં નિર્દિષ્ટ વાપીનું દાન, ઉષવદાત્તનાં દાનકાર્યો વગેરે ઉલ્લેખો આ સમયના ગુર્જર લોકોની ધર્મપ્રિયતાનું સૂચન કરે છે. તીર્થોનાં વર્ણનની વિગતોથી સૂચવાય છે કે આ કાળમાં તીર્થયાત્રાનો મહિમા ધ્યાનાર્હ હતો. વાપી, કૂપ, તડાગ, દેવાલયાદિ લોકોપયોગી કાર્યો તથા અન્નદાન અને આરામગૃહોના થયેલા ઉલ્લેખ ઉપરથી લોકો પૂર્તકાર્યોમાં શ્રદ્ધાતિ હોવાનો પ્રત્યય થાય છે. ઉષવદાત્ત બંધાવેલા વાવ, કૂવા વગરે; ચાખન-રુદ્રદામાના આંધૌના લેખોનો હેતું, ગુંદાના લેખમાંનો કૂવાદાનનો નિર્દેશ વગેરે પૂર્તધર્મ જેવાં ધાર્મિક કાર્યોમાં લોકોની ઉત્કટ ઇચ્છાનાં દર્શન થાય છે. પાદનોંધ ૧. ચક્રના પ્રતીકને રેપ્સન ધર્મ તરીકે ઓળખાવી એને બૌદ્ધધર્મનું પ્રતીક ગણે છે (કેટલૉગ, ફકરો ૮૭). પરંતુ જૈન પરંપરાય બાહુબલીએ સ્થાપેલા ધર્મની વાત કરે છે (ઉમાકાંત શાહ, સ્ટડીઝ ઇન જૈન આર્ટ, પૃષ્ઠ ૧૦). તો શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રને પણ નજર અંદાજ કરી શકાય નહીં. આથી, રેપ્સનનું સૂચન સ્વીકાર્ય રહેતું નથી. હકીકતમાં ચક્રનું પ્રતીક શાશ્વત જણાય છે. આ આકૃતિને અગાઉ ચૈત્ય છે એમ માનવામાં આવેલું. પણ હવે તો તે પર્વતની આકૃતિ છે એમ સ્વીકારાયું છે. (વિગતો માટે જુઓ પ્રકરણ તેર). ૩. આ બાબતના વિવરણ વાસ્તે જુઓ પ્રકરણ તેર. આ બંને આમ તો ફક્ત આ રાજાના સિક્કા ઉપર જ અંકિત થયેલાં છે. તો બીજા કેટલાક રાજાઓના સિક્કા ઉપર એકલા વૃષભનું ચિત્ર ઉપસાવેલું જોવું પ્રાપ્ત થાય છે. વધુ માહિતી માટે જુઓ પ્રકરણ તેર.. ૫. એઈ., પુસ્તક સોળ, પૃષ્ઠ ૨૩૨. ૬. મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લાના ગુંદાના લેખમાં આભીર સેનાપતિ રુદ્રભૂતિના નામનો વિચાર અહીં કરવો જોઈએ (એજન, પૃષ્ઠ ૨૩૫). ૭અને૮. આ બધાં સ્થળ અને નદીનાં ઓળખાણ વાસ્તે જુઓ પ્રકરણ ૧૧ની પાદનોંધ. ૯. રાજા રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખમાં નિર્દિષ્ટ,.....નો-બ્રા[]......[ર્થ] ધH #f4 વુદ્ધાર્થ..... શબ્દો પણ પ્રસ્તુત અનુમાનના સંદર્ભે સમર્થનમાં વિચારવા યોગ્ય છે. ૧૦. ગુઐલે., પુસ્તક ૨, પૃષ્ઠ ૬૨, નંબર ૧૫૫, શ્લોક ૧૫. ૧૧. વાયવીય સંહિતા, અધ્યાય ૫, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy