SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ક્ષત્રપકાલીન ગુજરાત ઉપમિતના શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. આથી, અનુમાની શકાય કે ઈસ્વી ૩૮૧(=ગુપ્ત સંવત ૬૧)માં કુશિકની (એટલે નકુલીશના શિષ્યની) દશમી પેઢીનો પુરુષ વિદ્યમાન હોવાનું જણાય છે. પેઢી દીઢ પચીસ વર્ષની ગણતરી અનુસાર કુશિકને ઈસ્વી ૧૩૧ (એટલે ૩૮૧૨૫૦=૧૩૧)માં વિદ્યમાન હોવાનું દર્શાવી શકાય. તદનુસાર એના ગુરુ નકુલીશ પણ એના પૂર્વ-સમકાલીન હોઈ ઈસ્વીની બીજી સદીના પ્રથમ ચરણમાં કે પ્રથમ સદીના છેલ્લા ચરણમાં વિદ્યમાન હોવા સંભવે. ફલતઃ એમ કહી શકાય કે પાશુપત મત ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં ઉદ્ભવ્યો અને પ્રચારમાં આવ્યો. સોમનાથનું મંદિર કયારે ? ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું અને કહેવાતો (?) અરબી સમુદ્ર જેના પગ પખાળે છે તે સોમનાથનું અતિ પ્રસિદ્ધ મંદિર અનેક વખત નાશ પામ્યું અને એનો એટલી જ વખત પુનરુદ્ધાર પણ થયો. આપણા દેશનાં શૈવ તીર્થોમાં અગ્રણી સોમનાથનું આ મંદિર સહુ પ્રથમ ક્યારે બંધાયું હશે તે પ્રશ્ન ચર્ચાની એરણ ઉપર મૂક્યો હોવાનું જાણમાં નથી. આ બાબતે વિદ્વાનોમાં કોઈ ખાસ મતભેદ હોય એમ જણાયું નથી. આથી, અહીં તે સંદર્ભે થોડી ચર્ચા પ્રસ્તુત છે. આપણા દેશના પશ્ચિમ કિનારા ઉપર સ્થિત પૂર્વાભિમુખ આ દેવાલય આપણું એક પ્રભાવી તીર્થધામ ગણાય છે. આપણે જાણીએ છીએ કે સોમનાથ પાટણનો પ્રભાસ તીર્થ તરીકેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં છે. મહમૂદ ગઝનવીના સમયમાં સોમનાથનું મંદિર આપણા દેશનાં અન્ય શૈવ તીર્થોમાં અગ્રપદે હતું. અને તેથી તેની ભવ્ય સમૃદ્ધિથી આકર્ષાઈને મહમૂદે સોમનાથને લૂંટ્યું અને તોડ્યું હતું. સોમનાથ મંદિરની આ ભવ્યતા અને સમૃદ્ધિ કંઈ થોડાં વર્ષમાં થઈ હોય એ શકય નથી. વળી, મૂળરાજે આ સમયે (ઈસ્વી ૯૪૨-૯૭) ગુજરાતમાં અન્ય સ્થળોએ સોમનાથ ભગવાનનાં મંદિર બંધાવ્યાં હતાં. એટલે અન્યત્ર આવાં મંદિર બાંધવા-બંધાવવા ભક્તો પ્રેરાય એવી ખ્યાતિ મૂળ મંદિરની હોય એ સ્વાભાવિક છે૫. કઝેન્સ અનુસાર સોમનાથનું મંદિર વલભીના મૈત્રકોની પહેલાંના સમયમાં બંધાયું હશે અને મૈત્રકોના શાસન દરમ્યાન એની દેશ સમસ્તમાં ખ્યાતિ પ્રસરી હશે. ક્ષત્રપોના સમયમાં ભૈરવ કે એવા કોઈ નામે મંદિર બંધાયું હોય અને એનું સોમનાથ નામ ત્યારે કે મૈત્રકોના સમયે પ્રચારમાં કે પ્રસિદ્ધિમાં આવ્યું હોય. નહપાનના સમયના નાસિક ગુફાના એક લેખમાં પ્રભાસના પુણ્યતીર્થમાં પોતાના પૈસે બ્રાહ્મણોને આઠ કન્યાનાં દાન આપ્યાં હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. આથી, ઈસ્વીસનની પહેલી સદીના બીજા ચરણ દરમ્યાન પ્રભાસ તીર્થધામ હોવાનું મંતવ્ય સાધાર બને છે. વળી, ક્ષત્રપ રાજાઓમાંના કેટલાકનો નમૂનો પૂર્વપદ તરેકે દ્ર શ્બ્દનો પ્રયૌ” છે. જયંદામાન. તાંબાના સિક્કા ઉપર નંદિ અને ત્રિશૂળનાં પ્રતીક ઉપસાવેલાં છે. આપણે અવલોકયું તેમ ઈસ્વીની પહેલી સદીમાં પ્રભાસમાં સોમસિદ્ધાંત પ્રર્વતાવ્યો હતો. કારવણમાં ઈસુની બીજી સદીમાં લકુલીશનો પ્રાદુર્ભાવ થયો હતો. – આ બધી હકીકતોને ધ્યાનમાં લેવાથી એવું સંભવી શકે છે કે ક્ષત્રપોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy