SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સત્તર ૨૮૫ એક જ અનુશ્રુતિનાં બે પાસાં છે. તો ઉભય માહિતીનું આકલન કરતાં એવું દર્શાવી શકાય કે સોમ અથવા સોમશર્મા નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ વિદ્યમાન હતી અને તેમણે પ્રભાસમાં શૈવ સંપ્રદાય સ્થાપયો અને સોસિદ્ધાંતનો મત પ્રવર્તાવ્યો. આથી, સૂચવાય છે કે ગુજરાતમાં શૈવ સંપ્રદાયના સૌ પ્રથમ મુખ્ય આચાર્ય સોમશર્મા હોય. આથી, સોમશર્માનો સમય સુનિશ્ચિત કરવો આ તબક્કે આવશ્યક છે. આ માટે કોઈ આભિલેખિક પુરાવો મળતો નથી. પરંતુ પુરાણો તેમને રુદ્ર-શિવના સત્તાવીસમા અવતારર તરીકે અને લકુલીશને અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઓળખાવે છે. આથી, સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પાશુપત મતના સંસ્થાપક-પ્રવર્તક લકુલીશના સોમશર્મા પુરોગામી છે. આ સોમશર્માને ચાર શિષ્ય હતાઃ અક્ષપાદ, કણાદ, ઉલૂક અને વત્સ ૧૪. ન્યાયસૂત્રોના રચયિતા અક્ષપાદ ઈસ્વી ૧૫૦ના અરસામાં વિદ્યમાન હોવાનો મત વધુ સ્વીકાર્ય જણાય છે૧૫. તો એમના ગુરુ સોમશર્માનો ઉત્તરકાળ પણ આ જ અરસામાં હોઈ શકે. અર્થાત્ સોમસિદ્ધાંત આ સમય પૂર્વેનો ગણી શકાય. પરંતુ કણાદે રચેલાં વૈશિવસૂત્રો ચાયસૂત્રોથીય પૂર્વકાળનાં છે. વૈશેષિમૂત્રો ચરકસંહિતા પૂર્વે રચાયાં હોવાનો મત પણ છે. મુનિ ચરકનો સમય ઈસ્વી ૮૦ આસપાસનો દર્શાવાયો છે. આથી, સ્પષ્ટ થાય છે કે ચરક અક્ષપાદ પૂર્વે અને કણાદ ચરક પૂર્વે વિદ્યમાન હોય. તો કણાદનો સમય સંભવતઃ ઈસુની પહેલી સદીના ચોથા ચરણ પહેલાં અર્થાત્ બીજા-ત્રીજા ચરણમાં સૂચવી શકાય. આ ગણતરીના સંદર્ભે કણાદના ગુરુ સોમશર્મા ઈસ્વીની પહેલી સદીના પહેલા-બીજા ચરણમાં વિદ્યમાન હોવાનું ફલિત થઈ શકે. ( પુરાણોમાં સોમશર્મા વિશે ભૂતકાળનો અને લકુલીશ માટે ભવિષ્યકાળનો વિનિયોગ થયો છે. સોમશર્મા લકુલીશના પિતામહ ગણાય.... આ બધી હકીકતોના પરિપ્રેક્ષ્યમાં ઉભયની વચ્ચે બે પેઢી જેટલું અંતર (આશરે ૫૦ વર્ષ જેટલું) હોવાનું સૂચિત થાય. લકુલીશ ઈસ્વીની બીજી સદીના પહેલા ચરણમાં હોવાનો મત સર્વમાન્ય છે૧૯. કણાદ વગેરેના ગુરુ સોમશર્મા અને લકુલીશના પિતામહ સોમશર્મા બંને એક જ હોય તો પછી સોમશર્મા ઈસ્વીની પહેલી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાનો અગાઉ નિર્દિષ્ટ મત વધારે સંભવિત છે. આથી, એવું દર્શાવી શકાય કે નજીકના પ્રાક્ષત્રપાલ દરમ્યાન સોમશર્માએ પ્રભાસ પાટણમાં પ્રવર્તાવેલો સોસિદ્ધાંત ક્ષત્રપકાલ દરમ્યાન વધારે પ્રચારમાં પ્રસારમાં આવ્યો હોય અને એના ભક્તોએ અહીં મંદિર બંધાયું હોય એવું સંભવે ખરું. લકુલીશ : પાશુપત સંપ્રદાયના પ્રવર્તક પાશુપત મતના પ્રવર્તક લકુલીશ એ માહેશ્વરનો અવતાર ગણાય છે. આ અવતારના સંસ્થાન તરીકે કાયાવરોહણ (વડોદરા જિલ્લાના ડભોઈ પાસેનું હાલનું કારવણ) જાણીતું છે. કેટલાક શિલાલેખોમાં શૈવસંપ્રદાયના આચાર્ય તરીકે નકુલી કે લકુલીનો ઉલ્લેખ છે. ધાર્મિકો એમને શિવના અવતાર તરીકે ગણે છે. ગુપ્ત સંવત ૬૧ના ચંદ્રગુપ્ત રજાના સમયના એક લેખમાં ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામનાં શિવલિંગની પ્રતિષ્ઠા કરનાર તરીકે “આર્ય ઉદિતાચાર્ય કુશિકથી દશમા, પરાશરથી ચોથા, ભગવાન કપિલના શિષ્યના શિષ્ય અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy