SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચોદ ૨૪૧ કરે? ક્ષત્રપોમાં આવી પ્રથા હતી જ નહીં. મેવાસાના સ્મારકલેખને ગૂંદાના વર્ષ ૧૦૩ના લેખ સાથે અવલોક્વો જોઈએ, કેમ કે ગૂંદાનો લેખ રુદ્રસિંહ ૧લાના સમયનો છે. આ લેખમાં સેનાપતિ બાપકનો પુત્ર આભીર સેનાપતિ રૂદ્રભૂતિ પશ્ચિમી ક્ષત્રપોની લશ્કરી સેવામાં હતો. મેવાસાના લેખમાં પણ ગામીર વસુરનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આથી, પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાળ દરમ્યાન આભીર વસતી અસ્તિત્વ ધરાવતી હતી એ આપણે જાણીએ છીએ. આભીર ઈશ્વરદત્તના ઉપલબ્ધ સિક્કા અહીં ધ્યાનાર્ય બને છે. સારનો સાર એટલો જ કે મેવાસા લેખમાંનો પ્રશ્નાર્થ કે અનામી રાજા રુદ્રસેન ૧લો હોવો જોઈએ અને તે રુદ્રસિંહ ૧લાનો પુત્ર છે. આ લેખની બીજી પંક્તિનો છેલ્લો શબ્દ આપણે અગાઉ નોંધ્યું તેમ રુદ્રસિંદ છે. પ્રશ્નાર્થ વર્ષ ૧૦૩ છે. બીજી અને ત્રીજી પંક્તિમાંના પુત્ર-પ્ર-પુત્રી શબ્દસમૂહનું અર્થઘટન પ્રપૌત્ર થઈ શકે. અને રુદ્રસિંહ ચાન્ટનનો પ્રપૌત્ર છે એમ એમની વંશાવળી સૂચવે છે. ગિરિનગરનો શૈલલેખ વર્તમાન જૂનાગઢ શહેરના પ્રાંગણમાં ગિરનાર પર્વત જવાના માર્ગ ઉપર એક રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક સ્થિત છે. આ સ્મારક “અશોકનાં ધર્મશાસનોથી સુખ્યાત છે. આ શૈલ લેખત્રયીથી સજ્જ છે. મૌર્ય સમ્રાટ અશોકના સમયનો, પશ્ચિમી ક્ષત્રપ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયનો અને ગુપ્ત રાજવી સ્કંદગુપ્તના સમયનો એમ ત્રણ લેખો આ ખડક ઉપર ઉત્કીર્ણ છે. આ શૈલલેખો ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ન ભૂતો ન ભવિષ્યતિની ઉક્તિને સાર્થક કરે છે. વિશેષમાં આ શૈલલેખ દફતરવિદ્યાનું વિશ્વસમસ્તમાં અદ્વિતીય આભિલેખિક દષ્ટાંત છે અને પૂર્ણતઃ અજોડ છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં ઉત્કીર્ણ ત્રણેય લખાણો આઠ સૈકા દરમ્યાન ભાષાવિકાસ અને લિપિવિકાસને સમજવા વાસ્તે અસાધારણ ઉપાદેયી બની રહે છે. આ ત્રણેયમાં રુદ્રદામાના લેખનું સર્વગ્રાહી દષ્ટિએ વિશ્વસ્ત અને વિશ્વવ્યાપી ઐતિહાસિક મહત્ત્વ ધ્યાનાર્હ એટલા માટે છે કે લગભગ ચાર સૈકા પૂર્વેની ઘટનાની વિગતો ઇતિહાસરૂપે એમાં આમેજ છે૧૯ દેવની મોરીનો સમુગલેખ શામળાજીના પ્રસિદ્ધ તીર્થના પરિસરમાં મેશ્વો નદી આવેલી છે. આ નદીમાં બંધ બાંધી શ્યામ સરોવરનું સિંચાઈ હેતુથી નિર્માણ કરવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું હોઈ, “ભોજ રાજાના ટેકરા'થી ખ્યાત દેવની મોરી ગામની ભાગોળે સ્થિત ટીંબાનું વ્યાપક ઉખનનકાર્ય કરીને, પ્રસ્તુત ટેકરો સરોવરમાં સમાધિસ્થ થાય તે પૂર્વે, તેમાં સુરક્ષિત અવશેષોને પુરાવસ્તુકીય વિજ્ઞાનની સહાયથી હાથવગા કરી ત્યાંના વિસ્તારની માનવપ્રવૃત્તિઓનો અભ્યાસ કરી તેનાં પરિણામ અને પરિમાણ પ્રજાગત કરવાનો ઉમદા હેતુ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગે ગઈ સદીના સાઠના દાયકાના પૂર્વાર્ધમાં અમલી બનાવ્યો, જેને કારણે બૌદ્ધધર્મના મહાતૂપ અને મહાવિહારના અકથ્ય અવશેષો શોધી કાઢ્યા. મહાતૂપના પેટાળમાંથી બે સમુદ્ગક હાથ લાગ્યા હતા, જે બંને માટીના કૂજામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy