SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ છે જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ શાતકર્ણિ ભૂમિકા જૂનાગઢની ભાગોળે ગિરનાર પર્વત તરફ જવાના માર્ગની જમણે અશોકના લેખવાળા શૈલની પશ્ચિમ બાજુ ઉપર ક્ષત્રપ શાસક રુદ્રદામાનું લખાણ ઉત્કીર્ણ થયેલું છે, જેમાં તેણે દક્ષિણાપથના સ્વામી એવા શાતકર્ણિને બે વખત હરાવ્યો છતાં નજીકના સંબંધને કારણે છોડી મૂક્યો” એવો નિર્દેશ છે. દક્ષિણાપથનો આ શાતકર્ણિ તે સાતવાહન વંશનો કોઈ રાજા હોવાનું તો સ્પષ્ટ છે. સવાલ એટલો જ કે શાતકર્ણિ તે સાતવાહન વંશના શાતકર્ણિ નામ ધરાવતા રાજાઓમાંથી કયો શાતકર્ણિ ?" પ્રસ્તુત શૈલખંડલેખ શક વર્ષ ૭ર (ઈસ્વી ૧૫૦)નો છે અને તે ચાખનના પૌત્ર રુદ્રદામાનો છે. તોલમાપ (Ptolemy) નોંધે છે કે પુળમાવિ નામનો સાતવાહન રાજા ચાનનો સમકાલીન હતો. વળી ચાખન-રુદ્રદામાના સંયુક્ત નામે આંધૌમાંથી યષ્ટિલેખો પ્રાપ્ત થયા છે. આથી શૈલલેખોમાંનો શાતકર્ણિ અને ચાટનનો સમકાલીન પુલુમાવિ એ બંને એક જ વ્યક્તિ કે ભિન્ન; તેમ જ કહેરીના એક લેખમાં વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિની પત્ની પોતાને કાર્દમક કુળના મહાક્ષત્રપ રાજા રુદ્ર(દામા)ની પુત્રી તરીકે ઓળખાવે છે, તો વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ તે ચાષ્ટનનો સમકાલીન પુલુમાવિ કે શૈલલેખમાં ઉલ્લખિત શાતકર્ણિ છે કે પછી કોઈ ભિન્ન વ્યક્તિ છે એ મુદ્દો અહીં તપાસાધીન જણાય છે. ચતુરાન શાતકર્ણિ ? ભગવાનલાલ ઇંદ્રજીના મતે શૈલલેખવાળો શાતકણિ એ યજ્ઞશ્રી શાતકર્ણિ હોવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ નાનાઘાટના લેખવાળા વાસિષ્ઠીપુત્ર ચતુરપન શાતકર્ણિ એ સોપારામાંથી ઉપલબ્ધ યજ્ઞશ્રી શાતકર્ણિના સિક્કામાંનો ચતુરપન છે કે ચતુરપન એ યજ્ઞશ્રી શાતકર્ણિના પિતા છે. પુલુમાવિ પછી ચતુરપન ગાદીએ બેસે છે. જો તોલમાપના સૂચન પ્રમાણે પુલુમાવિ ચાષ્ટનનો સમકાલીન હોય તો યજ્ઞશ્રી શાતકર્ણિ રુદ્રદામાનો સમકાલીન હોવાનું સંભવે; કેમ કે જેમ રુદ્રદામાં ચાષ્ટનનો બીજો વારસદાર છે તેમ યજ્ઞશ્રી શાતકર્ણિ પુળમાવિનો બીજો વારસદાર છે. બૂહ્નરના મતાનુસાર કાં તો ચતુરાન કે કાં તો યજ્ઞશ્રી શાતકર્ણિ જૂનાગઢ શૈલલેખમાંનો શાતકર્ણિ હોય. તેઓ ચતુરપનને પુલુમાવિનો સીધો વારસદાર કે અનુગામી ગણતા નથી, પણ ઉભયના શાસન વચ્ચે અકસેન રાજા હોવાનું જણાવે છે. ચતુરપન અને પુળમાવિ બંનેને તેમના લેખમાં શાતકર્ણિ તરીકે ઓળખાવ્યા છે અને તેથી બૂહ્નર આ પ્રકારનું મંતવ્ય પ્રેષિત કરે છે. યજ્ઞશ્રી શાતકર્ણિ ? રામકૃષ્ણ ભાંડારકર યજ્ઞશ્રી શાતકણિને ગિરિલેખોમાંના શાતકર્ણિ તરીકે ઓળખાવે છે; પરંતુ તેઓ ભગવાનલાલથી ભિન્ન પ્રકારનું અર્થઘટન સોપારાના સિક્કા ઉપરના લખાણને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy