SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાત ૧૨૩ રુદ્રસિંહના સિક્કાઓ ઉપરનાં લખાણોનાં થયેલાં વાચનમાંથી ઘણો ગૂંચવાડો ઉદ્ભવ્યો છે. કદાચ સિક્કા તૈયાર કરનાર અધિકારીની કોઈ ગફલત કે બેદરકારીનું કારણ પણ હોઈ શકે. રુદ્રસિંહને રુદ્રસેન ૧લો, સંઘદામા અને દામસેન એમ ત્રણ પુત્રો હતા; છતાં રુદ્રસિંહનો ઉત્તરાધિકાર દામજદશ્રીના પુત્ર જીવદામાને પ્રાપ્ત થયો હતો. સત્યદામા જીવદામાનો તે અગ્રજ હતો. એનો અદ્યાપિ માત્ર એક સિક્કો હાથ લાગ્યો છે, જે ક્ષત્રપ તરીકેનો છે. સમયનિર્દેશવાળો હોવા છતાંય આ સિક્કો અવાચ્ય છે. આ વર્ષ જીવદામાના મહાક્ષત્રપપદ દરમ્યાનનું અર્થાત્ વર્ષ ૧૧૯ અથવા ૧૨૦ હશે એવું સૂચન અગાઉ રેપ્સને કરેલું. પરંતુ તે પછી પ્રાપ્ત કેટલાક નવા મુદ્દાના આધારે સત્યદામાના સિક્કાનો સમય જીવદામાના ઉપર્યુક્ત સિક્કાઓના સમય કરતાં વહેલો હોવાનું તથા તે અનુસાર સત્યદામા જીવદામાનો અગ્રજ હોવાનું પ્રસ્થાપન રેપ્સનને કર્યું છે૩૧. એના ક્ષત્રપ તરીકેના સિક્કા એ કોઈ મહાક્ષત્રપના મદદનીશ ક્ષત્રપ તરીકે રાજ્યાધિકા૨ ભોગવતો હતો. તો પ્રશ્ન એ ઉદ્ભવે કે આ મહાક્ષત્રપ કોણ ? પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત પણ પ્રસ્થાપિત નિયમાનુસાર ગાદીનો વારસાહક્ક જ્યેષ્ઠ પુત્રને નહીં પણ અનુજને પ્રાપ્ત થાય છે. એટલે સંભવ છે કે સત્યદામા એના પિતાશ્રી દામીજદશ્રીના મદદનીશ તરીકે નહીં પણ કાકા રુદ્રસિંહના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ભોગવતો હોવો જોઈએ. સિક્કાઓ ઉપરથી એવું ફલિત થાય છે કે મહાક્ષત્રપ તરીકે રુદ્રસિંહ પછી એનો ભત્રીજો જીવદામા અને પછી એના પિત્રાઈ ભાઈ રુદ્રસેન ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે. આથી, અનુમાની શકાય કે સત્યદામા ક્ષત્રપકાળ દરમ્યાન જ અપુત્ર મરણ પામ્યો હોવો જોઈએ. જીવદામા સત્યદામાના આ અનુજના માત્ર મહાક્ષત્રપ તરીકે સિક્કા મળ્યા છે. એના સિક્કાઓ ઉપરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ અને ૧૨૦ છે. પરંતુ અમરેલીમાંથી પ્રાપ્ત જીવદામાના એક સિક્કા ઉપર વર્ષ ૧૦૦નું વાચન ભગવાનલાલ ઇંદ્રજીએ કરેલુંર્ અને રેપ્સને આ અંગે શંકા દર્શાવી હતી કે કાં તો એકમ કે દશકના, કાં તો બંને આંકડા નાશ પામી ગયા હોય. અર્થાત્ એમના મત મુજબ શતકના આંકડા પછી દશક કે એકમના આંકડા હોવા સંભવે. તદનુસાર રેપ્સને એવું અનુમાન્યું કે એ સિક્કા ઉપરનું વર્ષ ૧૦૦થી ૧૦૩ વચ્ચેનું હોવું જોઈએ. પણ હવે આ વાંચન સ્વીકાર્ય રહેતું નથી. જીવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ અદ્યાપિ હાથ લાગ્યા નથી. આથી એવું સૂચિત થાય છે કે એ સીધો જ મહાક્ષત્રપપદે આરુઢ થયો હોય. એના કાકા રુદ્રસિંહના મહાક્ષત્રપ તરીકેના સિક્કામાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧૯ છે, જે વર્ષ જીવદામાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ છે. આથી સ્પષ્ટ થાય છે કે વર્ષ ૧૧૯ના ઉત્તરભાગે તે રુદ્રસિંહનો ઉત્તરાધિકારી બન્યો હોવો જોઈએ. વર્ષ ૧૨૦ પછી એના સિક્કા મળતા નથી. પરંતુ એના અનુગામી અને ઉત્તરાધિકારી રુદ્રસેન ૧લાનું શરૂઆતનું જ્ઞાત વર્ષ ૧૨૨ છે એ હકીકત એના મૂલવાસરના શિલાલેખથી સ્પષ્ટ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy