SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૧૧-૧૨ કારણ બને તેવો મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. તેમ જે જીવો ભદ્રક પ્રકૃતિવાળા છે અને પહેલા ગુણસ્થાનકમાં છે તેઓ શાસ્ત્રવિધિ અનુસાર યતનાથી અને ભક્તિથી પૂજાની ક્રિયા કરી શકે તેવો સૂક્ષ્મબોધ નથી તોપણ સામાન્યથી જિન પ્રત્યે બહુમાન ભાવવાળા થઈને જિનપૂજા કરે છે. જેના ફળરૂપે સુબાહુકુમારની જેમ ધર્મની પ્રાપ્તિનું કારણ બને તેવા ઉત્તમ ભવની પ્રાપ્તિ કરશે. તેથી પૂજાની ક્રિયામાં વિવેકના અભાવને કારણે પદ્ધયનો આરંભ હોવા છતાં સન્માર્ગની પ્રાપ્તિનું કારણ તે પૂજા બનશે. માટે પહેલા ગુણસ્થાનકવાળા જીવોને પણ પૂજા કર્તવ્ય છે. અહીં વિશેષ એ છે કે સુબાહુકુમાર પૂર્વભવમાં સમ્યગ્દર્શન પામેલા ન હતા છતાં આ મહાત્માઓ ત્યાગી છે એ પ્રકારના મહાત્માઓના ત્યાગ પ્રત્યેના બહુમાનથી સુપાત્રદાન કર્યું હતું, જેના બળથી ત્યાગરૂપ સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવા મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. તેમ મિથ્યાત્વ અવસ્થામાં ભદ્રક પ્રકૃતિવાળા જીવોને, “ભગવાન રાગાદિથી પર વીતરાગ છે અને આ તેમની પ્રતિમા છે” એ પ્રકારના સ્થૂલ બોધથી પ્રેરાઈને ભગવાનની પૂજા કરે છે તેઓની જિનપૂજા ધર્મની પ્રાપ્તિના કારણભૂત એવા ઉત્તમ જન્મની પ્રાપ્તિનું કારણ બનશે. I૪/૧૧TI. અવતરણિકા : પૂર્વગાથામાં પહેલા ગુણસ્થાનકે સુપાત્રદાનની જેમ જિનપૂજા હિતકારી છે તેમ બતાવ્યું. હવે પહેલા ગુણસ્થાનકે દાનથી ભિન્ન એવા શીલ-તપ અને ભાવની જેમ જિનપૂજા હિતકારી છે એમ બતાવે છે – ગાથા : ઉપલક્ષણથી જિમ શીલાદિક, તિમ જિનપૂજા લીધ; મનુજઆયુ બધે તે સુબાહુ, તેણે સમકિત ન પ્રસિદ્ધ. સુખ૦ ૧૨ ગાથાર્થ - ઉપલક્ષણથી=પાત્રદાનના કથન દ્વારા પ્રાપ્ત ઉપલક્ષણથી, શીલાદિક જેમ શુભ વિપાકવાળા છે તેમ જિનપૂજા લીધ લેવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy