SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૩ | ગાથા : ૨૪-૨૫ ભાવાર્થ - આગમમાં પદાર્થોના નિરૂપણ કરવાની અનેક શૈલી છે. તેથી આગમમાં કોઈક સ્થાને એક વક્તવ્યમાં તે વક્તવ્યના એક દેશનું કથન હોય પણ સર્વ દેશોનું કથન ન હોય. વળી આગમમાં કોઈક સ્થાનોમાં એક વક્તવ્ય હોય ત્યારે તેના સર્વ દેશોનું વક્તવ્ય ઉપલબ્ધ થાય છે. આથી જ પ્રદેશ રાજાના વક્તવ્યમાં વ્રતગ્રહણની વિધિરૂપ દેશ કહેલ નથી અને આનંદશ્રાવકના વક્તવ્યમાં તે વિધિ કહેલ છે. વળી આગમમાં કોઈક સ્થાને એક વક્તવ્ય હોય, તેના સર્વ દેશોનું વક્તવ્ય ક્રમસર પ્રાપ્ત થાય છે તો વળી કોઈક ઠેકાણે તે સર્વ વક્તવ્ય ઉત્ક્રમથી પ્રાપ્ત થાય છે=આડાઅવળા ક્રમથી પ્રાપ્ત થાય છે. જેમ પૂજાની વિધિનું વક્તવ્ય કોઈક સ્થાને જે ક્રમથી પૂજા કરવાની છે તે ક્રમને છોડીને આડા-અવળા ક્રમથી પણ ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્રમાં ભગવાનનાં ચરિત્રોનું વર્ણન ઉત્કમથી છે તે દૃષ્ટાંત પણ આપી શકાય. આમ અનેક રીતે વર્ણન કરવાની શ્રુતની વિશેષ શૈલી છે માટે જે સ્થાનમાં જેનો સંભવ હોય તે સર્વને માનવું જોઈએ અને જે તેમ ન માને તે આઠે કર્મોથી વીંટાશે એમ ગાથા બાવીસ સાથે સંબંધ છે. ll૩/૨૪ અવતરણિકા :વળી જિનપ્રતિમાની પૂજા કર્તવ્ય છે, તે યુક્તિથી બતાવે છે – ગાથા : શાસનની જે પ્રભાવના, તે સમકિતનો આચારો રે; શ્રીજિનપૂજાએ જે કરે, તે લહે સુજશ ભંડારો રે. શાસન, ૨પ ગાથાર્થ : શાસનની જે પ્રભાવના છે તે સમકિતનો આધાર છે. જિનપૂજાએ જે કરે=શાસનની પ્રભાવના જે કરે, તે સુજશના ભંડારને પ્રાપ્ત કરે. Il3/૫] ભાવાર્થ - સમ્યત્વ એ તત્ત્વના શ્રદ્ધાનરૂપ છે અને તત્ત્વ સર્વ કર્મ રહિત આત્માનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy