SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા ૨૩-૨૪ ૬૩ ભાવાર્થ : સાતમા અંગમાં પ્રતિક્રમણાદિનું કોઈક સ્થાને વક્તવ્ય હશે આમછતાં તેનો ક્રમ કહ્યો નથી, પરંતુ દૃષ્ટિવાદના ચોથા ભેદના પ્રથમ ભેટ સ્વરૂપ પ્રથમ અનુયોગમાંથી ઉદ્ધત એવા પ્રકરણમાં પ્રતિક્રમણાદિનો સર્વ વિધિ કહ્યો છે. તેથી અર્થથી સાતમા અંગના પાઠમાં તેનો સંભવ હોવાને કારણે ત્યાં પણ પ્રતિક્રમણાદિ ક્રમનું ગ્રહણ કરવું જોઈએ. આનાથી એ ફલિત થાય કે સાતમા અંગમાં પ્રતિક્રમણાદિનો ક્રમ નહિ હોવા છતાં સંભવ હોવાથી પ્રતિક્રમણાદિના ક્રમને ગ્રહણ કરવો ઉચિત છે. તેમ ગાથા એકવીસમાં કહ્યું તે પ્રમાણે અરિહંતના વિરહકાળમાં જિનપ્રતિમાને પૂજન કરવાથી અરિહંતનો વિનય સંભવે છે, માટે જિનપ્રતિમાને પૂજીને વિનય કરવો જોઈએ તેમ સ્વીકારવું એ સમ્યકત્વનો શુદ્ધ આચાર છે. ll૩/૨all અવતરણિકા : કોઈને પ્રશ્ન થાય કે જેમ આનંદશ્રાવકના કથનમાં વ્રતની વિધિ કહી તેમ પ્રદેશ રાજાએ પણ વ્રતો ઉચ્ચરાવ્યાં હોય તો તેનું વિધાન કેમ ન કર્યું? તેથી કહે છે – ગાથા : કિહાં એક એક દેશ જ ગ્રહે, કિહાં એક ગ્રહે તે અશેષો રે; | કિહાં એક ક્રમ ઉત્ક્રમ ગ્રહે, એ શ્રુતશૈલી વિશેષો રે. શાસન૨૪ ગાથાર્થ :-- | કિંહા આગમમાં કોઈક સ્થાને, એક એક વક્તવ્યનો એક દેશ જ ગ્રહણ કરે, કિંતા એકના ગ્રહણમાંએક વક્તવ્યના ગ્રહણમાં, તે અશેષોને તે વક્તવ્યના અશેષ દેશોને બધા દેશોને, ગ્રહણ કરે. કિહાંકઆગમમાં કોઈક સ્થાને, એક–એક વક્તવ્યના સર્વ દેશોને, ક્રમ ક્રમથી કહે, તો કોઈક સ્થાને ઉત્ક્રમથી ગ્રહે આડા-અવળા ક્રમથી ગ્રહણ કરે, એ શ્રુતની શૈલી વિશેષ છેઆગમની આ પ્રકારના વર્ણનની પદ્ધતિ વિશેષ છે. ll૩/૨૪ll. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy