SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ટાળ : ૨ | ગાથા : ૧૯-૨૦, ૨૧ ૪૧ ભાવાર્થ : સ્થાનકવાસી કહે છે કે દેવો તો અવિરતિવાળા છે માટે આરાધક નથી તેથી વિરાધક એવા દેવોએ કરેલી જિનપ્રતિમાની પૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે શ્રીઠાણાંગસૂત્રમાં સમ્યગ્દષ્ટિ દેવની આશાતના કરનારને દુર્લભબોધિ કહ્યા છે માટે સમ્યગ્દષ્ટિ દેવો આરાધક નથી તેમ કહેવું ઉચિત નથી; કેમ કે તેમ કહેવાથી સમ્યગ્દષ્ટિ દેવોની આશાતનાનું પાપ લાગે છે. માટે દેવો આરાધક નથી તેમ સ્થાનકવાસી કહે છે તે વચન મૃષા છે. વળી, સમ્યગ્દષ્ટિ દેવોના ગુણાનુવાદથી સુલભબોધિતા થાય છે. તેથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ દેવોને આરાધક કહેવાથી અને આરાધક માનીને તેમના ગુણોની પ્રશંસા કરવાથી સુલભબોધિતા પ્રાપ્ત થાય છે. માટે તેઓની પૂજાની કરણી મોક્ષનો હેતુ છે તેમ સિદ્ધ થાય છે, કેમ કે આરાધક દેવો જે ધર્મત્ય કરે તે અવશ્ય મોક્ષનો હેતુ હોય. 1ર/૧૯-૨૦ના અવતરણિકા : દેવ વડે કરાયેલી જિનપ્રતિમાની પૂજા સ્થાનકવાસી કર્તવ્યરૂપે માનતા નથી તે તેઓનો અવિવેક છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : તપ-સંયમ તરુસમ કહ્યાં, ફલસમ તે શિવસુરશર્મ; લાલ રે. સુરકરણી માને નહીં, નવિ જામ્યો તેણે એ મર્મ. લાલ રે. તુજ ૨૧ ગાથાર્થ - તપ-સંયમને તરુ જેવાં કહ્યાં છે, તેના તપ સંયમરૂપ વૃક્ષના, ફળ જેવાં સિદ્ધનાં અને દેવલોકનાં સુખો કહ્યાં છે, તેથી દેવની કરણી-દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી છે તે, કર્તવ્યરૂપે માને નહિ, તેણે એ મર્મ જાણ્યો નહિ-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ મર્મ જામ્યો નથી. 1ર/ર૧TI ભાવાર્થ :પૂર્વભવમાં જે દેવોએ તપ-સંયમ પાળ્યું તે વૃક્ષ જેવું છે અને તે વૃક્ષ ઉપર જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy