SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા ઃ ૧૮, ૧૯-૨૦ ભાવાર્થ : પાંચમા અંગરૂપ શ્રીભગવતીસૂત્રમાં અનેક શતકો છે તેમાંથી દશમા શતકમાં અનેક ઉદ્દેશા છે તેમાં છઠ્ઠા ઉદ્દેશામાં કહેલ છે કે અમરચંચા નામની રાજધાની છે ત્યાં સુધર્મા નામની સભામાં અમર નામના સિંહાસન પર રહેલ અમર નામના અસુરેન્દ્ર, ઇન્દ્રાણીઓ સાથે ભોગ ભોગવતા નથી કે ત્યાં વિચરતા નથી; કેમ કે ત્યાં ભગવાનની દાઢા રહેલી છે. એટલે ઇન્દ્રને ભગવાનની દાઢાનો અત્યંત વિનય છે. આ રીતે ત્યાં ભોગાદિથી થતી જિનની દાઢાની આશાતનાને ટાળે છે માટે જેમ અજીવ એવી દાઢા પૂજનીય છે તેમ જિનપ્રતિમા પણ પૂજનીય છે. ll૨/૧૮ અવતરણિકા - કેટલાક સ્થાનકવાસી કહે છે કે દેવતાઓ તો અવિરતિવાળા છે માટે આરાધક નથી અને તેવા દેવતાઓએ ભગવાનની મૂર્તિની પૂજા કરી હોય અને તેનો ઉલ્લેખ આગમમાં પ્રાપ્ત થતો હોય તોપણ તે વચનના બળથી જિનપ્રતિમા પૂજનીય સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા : સમકિતદષ્ટિ સુર તણી, આશાતના કરચ્ચે જેહ; લાલ રે. દુર્લભબોધિ તે હશે, ઠાણાંગે ભાખ્યું એહ. લાલ રે. તુજ. ૧૯ તેહને જશ બોલ્ટે કહ્યું, વલી સુલભબોધિતા થાય; લાલ રે. તેણે પૂજાદિક તેહનાં, કરણી શિવહેતુ કહાય. લાલ રે. તુજ ૨૦ ગાથાર્થ : સમ્યગ્દષ્ટિ એવા દેવની જે આશાતના કરશે તે દુર્લભબોધિ થશે એમ શ્રીઠાણાંગસૂત્રમાં ભાખ્યું છે. ર/૧૯ll તેહના=સમ્યગ્દષ્ટિ સુરના, યશ બોલવાથી વળી સુલભબોધિતા થાય એમ કહ્યું છે તેણે તે કારણથી, તેહના=સમ્યગ્દષ્ટિ દેવના, પૂજાદિક કરણી શિવહેતુ કહાય કહેવાય. ll૨/૨૦II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy