SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૩૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૨ | ગાથા : ૧૦ ગાથા : પચ્છાપેચાશબ્દનો, જે ફેર કહે તે દુઠ્ઠ, લાલ રે, શબ્દતણી રચના ઘણી, પણ અરથ એક છે પુટ્ટ, લાલ રે. ૮૦ ૧૦ ગાથાર્થ : પચ્છા' અને “પેચ્યા' શબ્દનો જે ફેર કહે-જુદો અર્થ છે એમ સ્થાનકવાસી કહે છે, તે દુષ્ટ છે; કેમ કે શબ્દતણી રચના ઘણી છે પરંતુ તે બન્ને શબ્દોનો અર્થ એક “પુઠ” જ છે પાછળનો ભવ જ છે. I/ર/૧૦|| ભાવાર્થ : આગમમાં કેટલાક સ્થાને પરલોકના હિતને બતાવવા માટે “પચ્ચા હિતાય” કહેલ છે=પ્રેત્ય હિતાય કહેલ છે અને પ્રત્ય' શબ્દનો અર્થ “પરલોક થાય છે તેથી જો સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા પરલોકના હિત માટે છે તેમ બતાવવું હોય તો ત્યાં “પચ્ચા” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ પરંતુ સૂર્યાભદેવના અધિકારમાં “પચ્ચા” શબ્દનો પ્રયોગ કર્યો નથી પરંતુ “પચ્છા' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી નક્કી થાય છે કે સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા ‘પથ્થાત્ હિત માટે છે પણ પરલોકના હિત માટે નથી અર્થાત્ સૂર્યાભદેવના દેવભવના પથ્થાત્ હિત માટે છે પરંતુ પરલોકના હિત માટે નથી. આમ કહીને સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાના આગમવચન દ્વારા જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી એમ સ્થાનકવાસી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે “પચ્છા” અને “પેચ્ચા' બે શબ્દોના અર્થનો આ પ્રમાણે ફેરફાર કરીને સ્થાનકવાસી કહે છે તે દુષ્ટ છે. કેમ દુષ્ટ છે ? તેથી કહે છે – એક અર્થને કહેનારા શબ્દોની રચના ઘણી છે તેથી કોઈ ઠેકાણે પરલોક અર્થે “પચ્ચા' શબ્દ વાપર્યો હોય અને કોઈ ઠેકાણે “પચ્છા' શબ્દ વાપર્યો હોય એટલા માત્રથી અર્થભેદ કરી શકાય નહિ પરંતુ તે બન્ને શબ્દોનો એક જ અર્થ છે. તેથી પચ્ચા શબ્દથી જેમ પરલોક ગ્રહણ થાય છે તેમ પચ્છા શબ્દથી પણ પરલોક ગ્રહણ થાય છે. માટે સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજા પરલોકના હિત માટે નથી તેમ કહી શકાય નહિ. ર/૧ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy