SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા ૨૩ જ્ઞાનને નમસ્કાર કર્યો છે અર્થાત્ શાસ્ત્રમાં જે પ્રમાણે રુચકદ્વીપ આદિનું વર્ણન છે તેવું જ ત્યાં સાક્ષાત્ જોવાથી જંઘાચારણમુનિઓએ ત્યાં જઈને ભગવાનના જ્ઞાનને નમસ્કાર કર્યો છે. તેમ કહીને જિનપ્રતિમા પૂજય નથી એમ સ્થાનકવાસી સ્થાપન કરે છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : ચૈત્ય' શબ્દનો જ્ઞાન અરથ તે, કહો કરવો કુણ હેતે ? જ્ઞાન એક ને ચૈત્ય ઘણાં છે, ભૂલે જડ સંકેતે રે. જિનજી! ૨૩ ગાથાર્થ : ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કરવો તે કહો કયા હેતુથી માની શકાય અર્થાત્ માની શકાય નહિ; કેમ કે જ્ઞાન એક છે તેથી એકવચનમાં પ્રયોગ જોઈએ. ચૈત્ય ઘણાં છે તેથી શ્રીભગવતીસૂત્રમાં ‘હિં વેચારૂં વંધે રૂતિ' બહુવચનમાં પાઠ છે. માટે જડ એવા સ્થાનકવાસી સંકેતમાં ભૂલે છેઃચેત્ય શબ્દનો જ્ઞાન અર્થમાં સંકેત છે એ પ્રમાણે ભૂલે છે. II૧/૨3II ભાવાર્થ : શ્રીભગવતીસૂત્ર આદિ આગમસૂત્રોમાં ચૈત્યના નમસ્કાર વિષયક પાઠોની સંગતિ કરતાં કેટલાક સ્થાનકવાસી સાધુઓ કહે છે કે “ચૈત્ય શબ્દ જ્ઞાન અર્થમાં છે તેથી જંઘાચારણ મુનિઓએ રુચકદ્વીપાદિમાં જઈને ભગવાને વર્ણન કરેલ તેવું જ રુચકઢીપાદિ દેખાવાથી ભગવાનના જ્ઞાનને નમસ્કાર કરે છે તે બતાવવા માટે તેઓ ચૈત્યને નમ્યા છે એ પ્રમાણે શ્રીભગવતીસૂત્રનો પાઠ છે'. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કયા હેતુથી થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે વ્યાકરણમાં ચૈત્ય શબ્દ જિનપ્રતિમાના અર્થમાં પ્રસિદ્ધ છે. વળી જ્ઞાન એક છે. તેથી જ્ઞાનને નમસ્કાર કરવું હોય તો એકવચનનો પ્રયોગ જોઈએ અને રુચકદ્ધીપાદિમાં ચૈત્યો ઘણાં છે તેથી શ્રીભગવતીસૂત્રમાં તહિં રેફયા વધે ત્યાદ્ધિ પાઠ છે તેથી ચૈત્યનો અર્થ જ્ઞાન કરીએ તો બહુવચનનો પ્રયોગ સંગત થાય નહિ. આથી પ્રતિમા અપૂજ્ય છે એવી જડ મતિવાળા ચૈત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy