SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ / ગાથા : ૧૨-૧૩ ગાથાર્થ : જેહનો શુદ્ધભાવ છે=જે પુરુષનો શુદ્ધભાવ છે, તેહના તે પુરુષના, ચાર નિક્ષેપા સાચા છે, જેમાં જે પુરુષમાં, ભાવ અશુદ્ધ છે, તેહના તે પુરુષના, એક કાયામાં ભાવ નિક્ષેપાના કાચામાં, સવિ કાચા બાકીના ત્રણેય નિક્ષેપા કાયા છે. ll૧/૧રો. ભાવાર્થ તીર્થકરમાં કે સુસાધુમાં શુદ્ધભાવ વર્તે છે તેથી તેમના ચારેય નિક્ષેપા સાચા છે=કલ્યાણના કારણ છે. આથી શુદ્ધભાવવાળા એવા તીર્થકરનો નામનિક્ષેપો પણ પૂજ્ય છે, તેથી તીર્થકરના નામસ્મરણથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તે રીતે તીર્થકરનો સ્થાપનાનિક્ષેપો પણ પૂજ્ય છે; કેમ કે તીર્થકરની પ્રતિમાને જોઈને તીર્થંકરના ગુણોનું સ્મરણ થાય છે અને તીર્થંકરનો દ્રવ્યનિક્ષેપો પણ પૂજ્ય છે; કેમ કે આ તીર્થકરનો આત્મા છે તેવો બોધ થવાથી તે બોધ કરનાર જીવને તેમાં રહેલા ભાવિતીર્થંકરભાવનું સ્મરણ થાય છે. વળી તીર્થકરમાં વર્તતો તીર્થકરનો ભાવ સ્વત: પૂજ્ય છે. વળી જેમાં ભાવ અશુદ્ધ છે, તેના ભાવનિક્ષેપાની અપૂજ્યતાને કારણે ભાવનિક્ષેપાને પરતંત્ર નામ-સ્થાપના અને દ્રવ્ય ત્રણેય નિક્ષેપા અપૂજ્ય બને છે અને તેનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી સ્વત: અપૂજ્ય છે. જે અંગારમક આચાર્યનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી તેમનું નામસ્મરણ, તેમની સ્થાપનાનું દર્શન અને તેમનું દ્રવ્ય પણ પૂજ્યબુદ્ધિથી જોવામાં પાપબંધનું કારણ છે. તેથી તેમના ચારેય નિક્ષેપા અપૂજ્ય છે. ll૧/૧ અવતરણિકા :દશવૈકાલિકની સાક્ષીથી જિનપ્રતિમાની પૂજ્યતા બતાવે છે – ગાથા : દશવૈકાલિકે દૂષણ દાખ્યું, નારીચિત્રને ઠામે; તો કિમ જિનપ્રતિમા દેખીને, ગુણ નવિ હોય પરિણામે રે? જિનાજી! ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy