SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ / ગાથા ઃ ૧-૨ ૧૩૩ તેને બોલશે તેનાથી તેમને ભગવાનના વચન પ્રત્યેનો અધિક અધિક રાગ થશે. અને તેના કારણે તેમના જીવનમાં કલ્યાણની પરંપરા પ્રાપ્ત થશે. વળી, આ સ્તવનમાં કહેલા સૂક્ષ્મ પદાર્થો પ્રત્યેના પક્ષપાતને કારણે તે મહાત્માઓ ભગવાનની આજ્ઞા પ્રત્યે પક્ષપાતવાળા થશે. જેથી તેઓ સમકિતનું ભાજન થશે. અને જેમ જેમ તેમના આત્મામાં સન્માર્ગનો સ્પષ્ટ સ્પષ્ટતર ઉઘાડ થશે તેમ તેમ પ્રગટ ઝાકઝમાલ થશે અર્થાત્ તે મહાત્માઓ સદા સન્માર્ગના યથાર્થ બોધવાળા થશે જેથી તેઓ સર્વકલ્યાણની પરંપરા પ્રાપ્ત કરશે. II૭/૧II અવતરણિકા : આ રીતે પ્રસ્તુત સ્તવનનું માહાત્મ્ય બતાવ્યા પછી આ સ્તવનના અર્થો અતિ ગંભીર છે તેમ બતાવીને ગંભીરતાપૂર્વક તેના પરમાર્થને જાણવાનો ઉપદેશ આપે છે - ગાથા : અરથ એહના છે અતિસૂક્ષમ, તે ધારો ગુરુ પાસેજી, ગુરુની સેવા કરતાં લહીએ, અનુભવ નિજ અભ્યાસેજી; ગાથાર્થ : તેહના અર્થ=આ સ્તવનના અર્થ, અતિ સૂક્ષ્મ છે. તે ગુરુ પાસેથી ધારણ કરો અને ગુરુની સેવા કરતાં પોતાના અભ્યાસના બળથી અનુભવને પ્રાપ્ત કરીએ. ભાવાર્થ : ગ્રંથકારશ્રી કહે છે કે પ્રસ્તુત સ્તવનના અર્થો અતિ સૂક્ષ્મ છે માટે ગુણવાન ગુરુ પાસેથી તેના અર્થો ગ્રહણ કરવા જોઈએ. જેથી તેના મર્મનો યથાર્થ બોધ થાય અને ગુણવાન ગુરુની સેવા કરતાં તેના મર્મને પ્રાપ્ત કરીએ અને તે પ્રમાણે તેનો અભ્યાસ કરીને પોતાના અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરીએ, જેથી સર્વકલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. આશય એ છે કે પ્રસ્તુત સ્તવનના મર્મને જાણીને તેનાથી આત્માને અત્યંત ભાવિત કરવામાં આવે તો પોતાના આત્મામાં વર્તતા મોહના ભાવો અલ્પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy