SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૯૫ ઉપકાર કરવાની શક્તિ છે. તેમના સમય-શક્તિનો યથાર્થ ઉપયોગ થાય તો જગત ન્યાલ થઈ જાય, અનેક લાયક જીવો તરી જાય. આવા અનેકના ઉપકારી પ્રત્યે ગમે તેવો વ્યવહાર ન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થસ્વરૂપ આચાર્યને કોઈ શ્રાવક સીધો મળવા પણ ન જઈ શકે. સંસારમાં પણ મોટા માણસને મળવા જવું હોય તો કેટલી corridorમાંથી-કેટલા કોઠાઓમાંથી પસાર થાઓ ત્યારે તેની નજીક પહોંચી શકો ? અત્યારે ધર્મના ક્ષેત્રમાં આવી વ્યવસ્થા નથી રહી, પણ ભૂતકાળમાં શ્રીસંઘમાં આ વ્યવસ્થા હતી જ. ગીતાર્થ ગુરુને જીવંત તીર્થ કહીને શાસ્ત્રો એ સૂચવે છે કે બધાં દ્રવ્યતીર્થો કરતાં આમનો મહિમા વધારે છે; કારણ કે દ્રવ્યતીર્થો એ સ્થાવરતીર્થો છે અને સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થો મહાન છે. અને સર્વ જંગમતીર્થમાં શ્રેષ્ઠ જંગમતીર્થ શાસનની અનુશાસક વ્યક્તિ જ છે. તેમનાથી જ જગતમાં કલ્યાણમાર્ગ વહન થાય છે અને તેમની પાસે જ તીર્થંકરોએ કહેલા તત્ત્વનો માર્મિક સાર છે. ભવસાગરથી પોતે કેમ ત૨વું અને બીજાને કેમ પા૨ પમાડવા તેનું નિપુણ જ્ઞાન તેમનામાં છે. તેમનાં ભક્તિ, સમર્પણ, સાન્નિધ્ય જ મુમુક્ષુને શરણ છે. સભા : આવા ગીતાર્થ જ્ઞાનીને પણ સંશય હોઈ શકે ? સાહેબજી : હા, હોઈ શકે. પરંતુ આત્મકલ્યાણના માર્ગમાં તેમને દ્વિધા, વિમાસણ કે સંશય ન હોય; તેમાં તેઓ સુનિશ્ચિત હોય. બાકી તો ચૌદપૂર્વધર શ્રુતકેવલીને પણ સંશય થઈ શકે છે. દુનિયામાં અનંત જ્ઞાનવિજ્ઞાનના પ્રકારો છે, અનંત જ્ઞેય વસ્તુ છે, તેથી કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી સંશય સંભવિત છે. પણ જે સંશય પોતાના કે અન્યના આત્મકલ્યાણમાં અવરોધક નથી, તેવા સંશયનું કોઈ જોખમ નથી. કોઈ ડૉક્ટરને બાંધકામની (આર્કીટેક્ટ) કળામાં અજ્ઞાન કે સંશય હોય તો તેનાથી તેને ડૉક્ટરી લાઈનમાં કોઈ મુશ્કેલી નડતી નથી. દર્દીને આરોગ્યનું માર્ગદર્શન આપવામાં તે સારો તજજ્ઞ છે જ. તેમ ચૌદપૂર્વધરને કોઈ સંશય હોય તો આહા૨ક લબ્ધિનો ઉપયોગ કરી, મહાવિદેહક્ષેત્રમાં જઈ, તીર્થંકરો પાસે સંશયનું નિરાકરણ કરતા હોય છે; प्रत्याख्यान १३ स्तवस्तुतिमङ्गल १४ कालप्रत्युपेक्षणा १५ प्रायश्चित्तकरण १६ क्षामणा १७ स्वाध्याय १८ वाचना १९ परिप्रच्छना २० परावर्त्तना २१ ऽनुप्रेक्षा २२ धर्मकथा २३ श्रुताराधना २४ एकाग्रमनःसंनिवेशना २५ संयम २६ तपः २७ व्यवदानं २८ सुखाशय २९ अप्रतिबन्धता ३० विविक्तशयनासनसेवना ३१ विनिवर्त्तना ३२ सम्भोगप्रत्याख्यान ३३ उपधिप्रत्याख्यान ३९ भक्तप्रत्याख्यान ४० सद्भावप्रत्याख्यान ४१ प्रतिरूपता ४२ वैयावृत्त्य ४३ सर्वगुणसम्पूर्णता ४४ वीतरागता ४५ क्षान्ति ४६ मुक्ति ४७ मार्दव ४८ आर्जव ४९ भावसत्य ५० करणसत्य ५१ योगसत्य ५२ मनोगुप्तता ५३ वाग्गुप्तता ५४ कायगुप्तता ५५ मनःसमाधारणा ५६ वाक्समाधारणा ५७ कायसमाधारणा ५८ ज्ञानसम्पन्नता ५९ दर्शनसम्पन्नता ६० चारित्रसम्पन्नता ६१ श्रोत्रनिग्रह ६२ चक्षुर्निग्रह ६३ घ्राणनिग्रह ६४ जिह्वानिग्रह ६५ स्पर्शननिग्रह ६६ क्रोधविजय ६७ मानविजय ६८ मायाविजय ६९ लोभविजय ७० प्रेमद्वेषमिथ्यादर्शनविजय ७१ शैलेश्यकर्मता ७२ इति द्वासप्ततिस्थानसेवकः साधुलोकस्तेन सह स्वयं सदा वा संसर्ग:परिचय यस्य संसग्गीति गाथोत्तरार्द्धार्थः । । ४१ ।। (सम्यक्त्वसप्ततिः श्लोक ४९ टीका) १ जे पुरुषोए लोकोने सर्व नये करीने आश्रित एटले स्याद्वादगर्भित प्रवचन प्रकाशित कर्तुं छे अने जेओना चित्तने विषे आ सर्वनयाश्रित प्रवचन परिणमेलुं छे, तेओने वारंवार नमस्कार हो. (३२-६) (ज्ञानसार० अष्टक ३२ मुं, श्लोक ६ टबो) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy