SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ કીમતી છે. આવા જ્ઞાનીનો જે નિરર્થક સમય લે, તેને તેમની ઊંચી શક્તિ દ્વારા અનેક જીવોને કલ્યાણ થવાનું હતું તેનો વિરોધ કરવાનું મહાપાપ લાગે. જે અનેકના સમ્યક્ તારનારા છે, જેમની એક એક ક્ષણની કિંમત છે, જે મહા ચિંતન દ્વારા જિનવચનનો સૂક્ષ્મ મર્મ તારવીને લાખોને કલ્યાણના કારણ બની શકે તેમ છે, જેમની શક્તિ-પ્રતિભા અનેકને તારવાની છે, તેમનો તમે તમારા સ્વાર્થ ખાતર બિનજરૂરી ઉપયોગ કરો તો તમે શાસનની દૃષ્ટિએ મહા નુકસાનનું કામ કરો છો. તમને તેની કલ્પના પણ નથી. દા.ત. મુંબઈના કોઈ ટોચ કક્ષાના સર્જન કે સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરનો તમે કૌટુંબિક સંબંધને કારણે બિનજરૂરી સમય બગાડો તો તેનાથી અનેક દર્દીઓના જીવનને થતા પારાવાર નુકસાનની જવાબદારી તમારા કપાળે ચોંટે છે. શ્રુતકેવલીની દુર્લભતાનું દષ્ટાંત સભા શાસનમાં શ્રુતકેવલી તો ઘણા હોય ને ? સાહેબજી ઘણા એટલે લાઈનબંધ બેઠા હોય એમ ? ચોથા આરામાં પણ સમગ્ર શાસનમાં શ્રુતકેવલી સદા સુલભ ન હતા. 'ઋષભદેવથી આરંભી દરેક તીર્થંકરના શાસનમાં શ્રુતજ્ઞાનની રચના પછી ઘસાતાં ઘસાતાં ચૌદપૂર્વ અને દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે, એમ ભગવતીસૂત્રમાં ઉલ્લેખ છે. વળી, શ્રુતકેવલીની દુર્લભતાનો એક પ્રસિદ્ધ દાખલો આપું કે, નમિનાથ ભગવાનનું શાસન વિદ્યમાન છે અને હજી નેમિકુમાર ગૃહસ્થ અવસ્થામાં છે તે વખતે આખા ભરતક્ષેત્રમાં એક પણ કેવલજ્ઞાની નથી. લાખોની સંખ્યામાં સાધુ-સાધ્વી છે, આરાધક ચતુર્વિધ સંઘ છે, જૈનોનો વિશાળ સમુદાય છે; છતાં કેવલજ્ઞાની તો ઠીક મન:પર્યવજ્ઞાની, વિશિષ્ટ અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર કે દશપૂર્વધર સુધીના જ્ઞાનયુક્ત કોઈ શ્રુતકેવલી પણ હાજર નથી. ચોથો આરો હોવા છતાં પણ આખા ભરતક્ષેત્રમાં કોઈ શ્રુતકેવલી વિદ્યમાન ન હતા. અતીન્દ્રિય જ્ઞાન ધરાવનાર મહાત્મા પણ એકમાત્ર અતિમુક્તમુનિ હતા, જે સંસારી પક્ષે કંસના સગા નાના ભાઈ હતા. તે સમયે એવો જટિલ પ્રશ્ન આવ્યો કે જેનો જવાબ અતીન્દ્રિય જ્ઞાની જ આપી શકે. ત્યારે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવાની તાકાત સમગ્ર ભરતક્ષેત્રમાં એક અતિમુક્તમુનિ જ ધરાવે છે. આ ઉપરથી સમજી શકશો કે ચોથા આરામાં પણ શ્રતકેવલીઓના ઢગલા નથી હોતા, જ્યારે અત્યારે તો કલિકાલ છે. બધાં દ્રવ્યતીર્થો-સ્થાવરતીર્થો કરતાં જંગમતીર્થનો અચિન્ય મહિમા ૨ જંગમ તીર્થ અતિ દુર્લભ છે, છતાં જે હોય તેમનામાં તમે કલ્પના ન કરી શકો એટલો જગતનો १ "एएसि णं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणंतरा पण्णत्ता। एएसि णं भंते ! तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते? गोयमा! एएसु णं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालिअसुअस्स अव्वोच्छेदे पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुअस्स वोच्छेदे पण्णत्ते, सव्वत्थवि णं वोच्छिन्ने दिट्ठिवादे। (विचाररत्नाकर भगवती विचारनामा पञ्चम तरंग) २ न केवलं तीर्थयात्राकरणं किन्तु 'संविग्गजणत्ति' संविग्नश्चासौ जनश्च संविग्नजनः संवेग १ निर्वेद २ धर्मश्रद्धा ३ गुरुसाधर्मिकशुश्रूषा ४ आलोचना ५ निन्दा ६ गर्दा ७ सामायिक ८ चतुर्विंशतिस्तव ९ वन्दन १० प्रतिक्रमण ११ कायोत्सर्ग १२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy