SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૨૭ છે. ત્યાં પણ લાયક જીવ હોય તો મોક્ષમાર્ગમાં પ્રવેશીને અધ્યાત્મ દ્વારા ત્યાં રહીને કલ્યાણ કરી શકે. છતાં તેમના સાધ્વાચારનું પ્રામાણિકતાથી મૂલ્યાંકન કરી બતાવ્યું છે. ચારિત્રધર્મનો મૂળ પ્રાણ ભિક્ષાધર્મ, જેનો દિગંબરમતમાં વિચ્છેદઃ સભા : એ લોકો આપણી જેમ ભિક્ષા માટે કેમ ન ફરે ? સાહેબજી : કેવી રીતે ફરે ? હાથમાં ખાવાનું હોય તો, ઘરે ઘરે એંઠા મોઢે ખોરાકનાં કણિયાં કે ટીપાં પાડતા પાડતા પરિભ્રમણ કરે ? તેમાં તો સાધુપદની પણ અપભ્રાજના અને મહાઅજયણાનું આચરણ થાય. અપરિગ્રહના નામે નગ્નતાનો એકાંત આગ્રહ આવ્યો તેથી લબ્ધિશૂન્ય વર્તમાનના અલ્પસત્ત્વશાળી સાધુઓના જીવનમાં ભિક્ષાવૃત્તિનો જ નાશ સ્વીકારવો પડ્યો. લાભાલાભનો વિચાર કર્યા વિના કરાતો એકાંત આગ્રહ કેવા અનર્થ ઊભા કરે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. સભા : વસ્ત્ર કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં બાધક છે ? સાહેબજીઃ આ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે, જડ એવું વસ્ત્ર કેવલજ્ઞાનમાં મમતા પેદા કરવા દ્વારા અવરોધક છે ? કે મમતાશૂન્યવત્ર સ્વયં જ કેવલજ્ઞાનમાં અવરોધક છે ? જો વસ્ત્ર સ્વયં જ કેવલજ્ઞાનમાં અવરોધક હોય તો કેવલીને કોઈ ઓચિંતું વસ્ત્ર ઓઢાડે તો તેમનું કેવલજ્ઞાન ભાગી જાય, એમ માનવું પડે, જે હાસ્યાસ્પદ છે. તેથી મમતા વિના વસ્ત્ર કેવલજ્ઞાનમાં અવરોધક છે તેવું પુરવાર કરવું શક્ય નથી. સભા : વસ્ત્ર હોય તો મમતા થાય ને ? સાહેબજી : વસ્ત્ર હોય તો મમતા થાય જ તેવો એકાંત નથી. વળી, કપડું વધારે મમતાનું કારણ કે દેહ વધારે મમતાનું કારણ ? મહામમતાનું કારણ એવું શરીર સાથે રાખીને કેવલજ્ઞાન થઈ શકે, તો વસ્ત્ર સાથે રાખીને કેવલજ્ઞાન થવામાં કોઈ બાધ નથી. વળી, કોઈ વસ્ત્ર-પાત્ર વિના પણ સંપૂર્ણ અહિંસા-જયણામય અને મર્યાદાપૂર્વકનું જીવન જીવી શકતા હોય તેથી આજીવન નિર્વસ્ત્ર કે કરપાત્રી રહે તો પણ અમને વાંધો નથી; કારણ કે અમને સવસ્ત્ર કે નિર્વસ્ત્ર ધર્મનો એકાંતે આગ્રહ નથી. જેની જે ક્ષમતા હોય તે પ્રમાણે હિતકારી આચરણ કરે. ભગવાને બંને ધર્મને મોક્ષના કારણ કહ્યા છે. શ્વેતાંબરોને એકાંતે વસ્ત્રનો આગ્રહ નથી, દિગંબરોને નગ્નતાનો એકાંતે આગ્રહ છે. મહાવીર પ્રભુના અનેકાંતના સિદ્ધાંતનો એ લોકોએ ભંગ કર્યો છે. સભા : જિનકલ્પી મહાત્માઓ વસ્ત્ર નથી પહેરતા ને ? સાહેબજી : હા, લબ્ધિધારી જિનકલ્પી મહાત્મા વસ્ત્ર નથી પહેરતા, પણ જિનકલ્પી બનવાની તમારી यः पुनः सम्यग्दृष्टिरप्यसद्भावमसद्भूतं प्रवचनं श्रद्दधाति सोऽवश्यमजानन् स्वयं परिज्ञानविकलः सन् यद्वा गुरोस्तथाविधसम्यक्परिज्ञानविकलस्य मिथ्यादृष्टेर्वा जमालिप्रख्यस्य नियोगादाज्ञापारतन्त्र्यात्, नान्यथा। (कर्मप्रकृति उपशमनाकरणम् श्लोक २४ उपा. यशोविजय टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy