SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધર્મતીર્થની વ્યાખ્યા સાધુની જેમ ઘરે ઘરે ફરીને ગોચરી લાવી ન શકે, લબ્ધિ વિનાના કરપાત્રીને એક જ ઘરે ભોજન અનિવાર્ય હોય છે. તેથી ગમે તે એક રસોડે જઈને ઊભા રહેવાનું અને ત્યાં જ સંપૂર્ણ ભોજન કરવાનું. વળી એક લીટર દૂધ હાથમાં રેડે તો માંડ અઢીસો ગ્રામ મોઢામાં જાય, બાકી બધું જમીન પર રેલારૂપે ઢળે. જેની કાં તો ગૃહસ્થોએ શુદ્ધિ કરવી પડે અથવા બીજી મહા અજયણા થાય. સભા : આઠ રસોડાં શું કામ રાખે ? સાહેબજી: એક જ રાખે અને દરરોજ ત્યાં જ ધામા નાંખે તો સાધ્વાચાર દેખાવથી પણ ગૃહસ્થતુલ્ય થાય. તેથી કંઈક ઓઠારૂપે પણ ભિન્નતા રાખવી હોય તો આઠ રસોડાં અનિવાર્ય છે. દરરોજ ફરતાં ફરતાં તેમાંથી કોઈ પણ એકમાં જઈને ભોજન કરી લે. આ વાત કોઈ પણ જાતના દ્વેષભાવ કે આગ્રહ વિના જે જોયું છે, સાંભળ્યું છે તે કહીએ છીએ. સભા ઃ આ આચાર તેમનાં શાસ્ત્રોને સંમત છે ? સાહેબજી : હા, નહીંતર મુનિને કરપાત્રભોજન અસંભવિત થાય. વાસ્તવમાં અહિંસામય જીવન માટે સૂક્ષ્મ જયણા, સમિતિ-ગુપ્તિનું પાલન મહત્ત્વનું છે, નગ્નતા નહીં. માત્ર નગ્નતાને જ ઉત્કૃષ્ટ ચારિત્ર ગણો તો જનાવરો પણ નગ્નતાને આજીવન સેવે છે. અહિંસા-સત્યરૂપ મહાવ્રતોના પાલનમાં જ સમ્યક્યારિત્ર છે. અહિંસા-સત્યનું પાલન જ ન હોય તેવી નગ્નતાને ધોઈ પીવાની ? તેનો કોઈ મતલબ નથી. આ વાત તટસ્થતાથી વિચારવાની તૈયારી જોઈએ. આ મુંબઈમાં દિગંબરો ઘણા ગાજે છે. ત્યાં જનારા અને તેમને સાંભળનારા પાછા શ્વેતાંબરો છે. બિચારા વગર કારણે અટવાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત તેમને ખબર નથી. પ્રભુ મહાવીરે ઉપદેશેલા આચાર-વિચારને જે સૂક્ષ્મતાથી સમજે તે ભ્રમમાં પડે નહીં. તેને તરત ખ્યાલ આવે કે જયણાશૂન્ય માત્ર નગ્નતાથી ચારિત્રનું પાલન ન થાય. આ પૂર્વધર મહાત્મા સ્પષ્ટ લખે છે કે, દિગંબરોનો આચાર બહારથી ગમે તેટલો ઉગ્ર હોય પણ અંદરથી પોલો છે. એટલે પ્રવેશ દુર્ગમ પણ નિર્ગમ સુગમ. સૂક્ષ્મ જયણા ન હોવાથી વિચારકને આચારમાં અત્યંત શ્રદ્ધા શક્ય નથી. તેથી માનસિક રીતે તેનો ત્યાગ પણ સુકર છે. વળી શરીરથી પણ નિર્ગમ સુગમ છે; કેમ કે ખાનદાન વ્યક્તિને જાહેરમાં-લોકમાં નગ્નતા બહુ ફાવે નહીં, અને સંન્યાસનો ત્યાગ કરનાર ગૃહસ્થ ગુરુને પણ સંઘમાં એટલું સ્થાન-માન હોય કે વાંધો ન આવે. ઉપરાંત નગ્નતા આદિના સ્થાપન માટે કોઈ નક્કર સિદ્ધાંત કે તર્કો નથી કે જે વિવેકીને અનુરાગ દઢ કરે. સંક્ષેપમાં દિગંબર દીક્ષામાં પ્રવેશ દુર્ગમ પણ નિર્ગમ સુગમ છે. જોકે આ સંપ્રદાય જૈનધર્મનો જ એક ફાંટો છે, તે પણ ધર્મતીર્થ છે, ત્યાં પણ મોક્ષમાર્ગ છે. તેથી ત્યાં મોક્ષમાર્ગ છે જ નહીં એવું કહેવાનો અમારો ભાવ નથી. શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે દિગંબરોમાં પણ સમકિત હોઈ શકે १ 'स्वतन्त्रनीतितस्त्वेव'-जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ‘ग्रन्थिभेदे' -रागद्वेषमोहपरिणामस्यातीवदृढस्य विदारणे 'तथा'-यथाप्रवृत्त्यादिकरणप्रकारेण 'सति'-विद्यमाने किमित्याह ‘सम्यग्दृष्टिः' -शुद्धसम्यक्त्वधरः, भवति-सम्पद्यते। (વિજુ રત્નોવર રહે૨ ટીવ) * अथ सम्यग्दृष्टिस्वरूपमाह-सम्यग्दृष्टिीवो गुरुभिरुपदिष्टं प्रवचनं नियमाद्यथावत् श्रद्धत्त एव तुरेवकारार्थो भिन्नक्रमश्च । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy