SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯૦-૧૪૧, ૧૪૯૨-૧૪૯૩ વળી પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓ સંયમ ગ્રહણ કરે છે, ત્યારે સામાયિક ચારિત્રવાળા હોય છે અને પાછળથી તેઓની પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરાય છે, ત્યારે તેઓ છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા હોય છે. તેથી પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુઓ બીજા છેદોપસ્થાપ્ય ચારિત્રમાં જ જિનકલ્પ સ્વીકારે છે, સામાયિક ચારિત્રમાં નહીં. વળી જિનકલ્પિકને ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર હોતું નથી. જિનકલ્પ સ્વીકાર્યા પછી કોઈક જિનકલ્પી વિશુદ્ધ યોગ થવાને કારણે ઉપશમશ્રેણી માંડે તો, તેવા જિનકલ્પિકને આશ્રયીને ચોથું સૂક્ષ્મસંપરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર હોઈ શકે, અર્થાત્ જિનકલ્પિક ઉપશમશ્રેણીએ ચઢીને દશમા ગુણસ્થાનકને સ્પર્શ ત્યારે તેઓને સૂક્ષ્મસંપરા ચારિત્ર હોય છે અને તે વખતે તેઓને સૂક્ષ્મ લોભ સિવાય સર્વથા કષાયના અભાવની પ્રાપ્તિ થાય છે; વળી જ્યારે તેઓ અગિયારમા ગુણસ્થાનકને સ્પર્શે ત્યારે તેઓને યથાખ્યાત ચારિત્ર હોય છે અને તે વખતે તેઓ ઉપશાંતમોહવાળા થવાથી ઉપશાંતવીતરાગ બને છે. ૧૪૯૦/૧૪૯૧|| અવતરણિકા : तीर्थद्वारमधिकृत्याह - અવતરણિકાઈઃ તીર્થદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : तित्थे त्ति नियमओ च्चिय होइ स तित्थम्मि न पुण तदभावे । विगएऽणुप्पण्णे वा जाईसरणाइएहिं तु ॥१४९२॥ અન્વયાર્થ : તિર્થે ત્તિ તીર્થે' એ પ્રકારના દ્વારમાં) તિમિત્રતીર્થ હોતે છતે નિયમો વિ=નિયમથી જ સ=એ=જિનકલ્પિક ઢોડું થાય છે, તમા પુછા=પરંતુ તેનો અભાવ હોતે છતેત્રતીર્થનો અભાવ હોતે છતે, ન=નહીં જિનકલ્પિક થતા નથી. (તે જ સ્પષ્ટ કરે છે –) વિડyuvજે વા=વિગત અથવા અનુત્પન્ન હોતે છતે=તીર્થનો નાશ થયે છતે અથવા તીર્થ ઉત્પન્ન નહીં થયે છતે, ગાર્ડલર ફિલ્ડિંતુ જાતિસ્મરણાદિથી જ (જિનકલ્પિક થતા નથી.) ગાથાર્થ : તીર્થ' એ પ્રકારના દ્વારમાં તીર્થ હોતે છતે નિયમથી જ જિનકલ્પિક થાય છે, પરંતુ તીર્થનો અભાવ હોતે છતે જિનકલ્પિક થતા નથી. તીર્થનો નાશ થયે છતે કે તીર્થ ઉત્પન્ન નહીં થયે છતે જાતિમરણાદિથી જ જિનકલ્પિક થતા નથી. ટીકાઃ तीर्थ इति नियमत एव भवति स जिनकल्पिकः तीर्थे सङ्के सति, न पुनस्तदभावे, विगतेऽनुत्पन्ने Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy