SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૩૫ પ્રકરણ ૪૦ : યોગ યોગનિર્ણય (ઉં. વિક્રમની સાતમી સદી)–યોગદષ્ટિસમુચ્ચય (બ્લો. ૧)ની સ્વોપન્ન વૃત્તિમાં હરિભદ્રસૂરિએ આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે પણ એ મળતી નથી. યોગાચાર્યની કૃતિ (ઉ. વિક્રમની સાતમી સદી) – યોગદૃષ્ટિસમુચ્ચય (શ્લો. ૧૪, ૧૯, ૨૨, ૨૫ અને ૩૫)ની સ્વપજ્ઞ વ્યાખ્યા (પત્ર પ, ૭૫, ૭, ૮અ અને ૧૦૮)માં યોગાચાર્ય વિષે ઉલ્લેખ છે. આ સામાન્ય નામવાળા મહાનુભાવ જૈન હોય અને એમણે યોગ સંબંધી કોઇ કૃતિ-રચી હોય એમ લાગે છે. એ કૃતિ યોગની આઠ દૃષ્ટિ અંગેની હોય તો ના નહિ. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ' લલિતવિસ્તરા- (પત્ર ૭૬૪)માં “ચોરીવા" એવો ઉલ્લેખ છે. એથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૩૦૫)માં મેં યોગાચાર્ય વિષે સંક્ષિપ્ત માહિતી આપી છે. હારિભદ્રીય યોગવિષયક કૃતિઓ-હરિભદ્રસૂરિએ યોગને અંગે યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, જોગસયગ (યોગશતક), પોડશક તેમજ વીસવીસિયાગત “જોગવીસિયા” એમ પાંચ કૃતિઓ રચી છે, ૧૩૬ વળી યોગદૃષ્ટિસમુચ્ચય તથા જોગસયગ ઉપર તો એમણે સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે. બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયના નામે ઓળખવાતી કૃતિ એમણે જ રચ્યાનું મનાય છે. એ હિસાબે યોગવિષયક છે કૃતિ સંસ્કૃતમાં અને બે પાઇયમાં છે. યોગદૃષ્ટિસમુચ્ચય (લ. વિ. સં. ૭૮૦) – આમાં આધ્યાત્મિક વિકાસને લગતા જે વિચારો દર્શાવાયા છે તે વિચારધારા યોગબિન્દુથી તેમજ પોડશકથી પણ ભિન્ન રીતે રજૂ કરાઈ છે. આમ આ આચાર્ય આધ્યાત્મિક વિકાસના ક્રમનો વિષય ભિન્ન ભિન્ન કૃતિઓમાં ભિન્ન ભિન્ન વસ્તુનો ઉપયોગ કરી ૧. એમનું મૂળ નામ-વાસ્તવિક નામ શું છે તેમજ એઓ શ્વેતાંબર છે કે દિગંબર એ જાણવાનું કશું સાધન છે ખરું? હરિભદ્રસૂરિએ કાલાતીત, ગોપેન્દ્ર, બધુ ભગવદત્ત અને ભદંત ભાસ્કર એમ વિવિધ યોગીઓનાં નામ આપ્યાં છે. ૨. આ પાઇય કૃતિનો પરિચય મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૮૯-૯૦ અને ૩૫૫-૩૫૭)માં આપ્યો છે. એમાં મેં આ જોગસયગના પ્રકાશનની નોંધ પૃ. ૮૯માં લીધી છે. ત્યાર પછી એ સ્વપજ્ઞ વૃત્તિ સહિત લા. દ. વિદ્યામંદિર વગેરે અનેક દ્વારા પ્રકાશિત કરાઈ છે. ૩. આના પરિચય માટે જુઓ શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૪૧-૧૪૮). ૪. આ કૃતિ, એની સ્વપજ્ઞ વ્યાખ્યા તેમજ યોગબિન્દુ અને એની પણ વૃત્તિ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. આ વૃત્તિ કંઈ સ્વપજ્ઞ નથી. [યોગ. દ. સ. પ્ર. વિજયકમલકેશરગ્રંથમાલા ખંભાત સં. ૧૯૯૨ આ. ભુવનભાનુસૂરિ મ. આ. રાજશેખરસૂરિ મ. મુનિયુગભૂષણવિજય (પંડિત મ.), આ. ચન્દ્રગુપ્તસૂરિ, મુનિ મુક્તિદર્શન વિ. મ. અને ૫. ધીરુભાઈ વ.ના વિવેચનાં પ્રસિદ્ધ થયા છે.] ૫. ‘જોગવીસિયા' સાથે આનું સામ્ય છે. એ “જોગવીસિયામાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક દશાનું નહિ પરંતુ એની પર દશાનું નિરૂપણ છે. એને લઈને એની રચના યોગબિન્દુની રચનાથી જુદી પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy