SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ દેશનાચિંતામણિ ] અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તે તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ, અને તેને અતિચારમાં એક આંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોઝના ન કરે તો તે નાગશ્રી વિગેરેની જેમ ભવપરંપરાને પામે છે, માટે કદાચિત મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણું લેવી. આ બાબતમાં તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંધેલી ખીર વહોરાવનાર શ્રીમંત શ્રાવકનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. હવે પ્રસંગે પાત બીજા પણ કેટલાંક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તે એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભાવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈને નિયાણું કર્યું હતું, તે પાપની આલોચના કરી નહી તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગર્ભવતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાધુએ તેના હાથથી આહાર ગ્રહણ કરે; જે નવમે માસે ગ્રહણ કરે તો તેને (સાધુને) એક આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. એકાસણા વિગેરે તપને ભંગ થયું હોય તે તેના પ્રાયશ્ચિત્તમાં તેજ (એકાસણું વિગેરે) તપ આપવો, અથવા તે તપને જેટલો સ્વાધ્યાય હોય તે આપ. આ પ્રમાણે મેં આલેચના પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન બહુજ ટૂંકામાં જણાવ્યું. તેના યથાર્થ રહસ્યને જાણનારા ભાવવૈદ્ય જેવા પરમ ગીતાર્થ આચાર્યાદિજ હોય છે. માટે તેઓ જ પ્રાયશ્ચિત્ત દ્રવ્યાદિ ચાર પદાર્થોને અનુસાર આપી શકે છે. અને તપસ્વી ગ્લાન આદિને એાછું પણ આપી શકે છે. વિગેરે બીના ગુરૂગમથીજ સમજવા લાયક છે. અહીં સ્થૂલ મૃષાવાદના પ્રાયશ્ચિત્તનું વર્ણન કરતાં છેવટે જણાવેલ રજજા સાથ્વીનું દષ્ટાંત આ રીતે જાણવું. હિત યત્સર્વજીવાનાં, ત્યક્તદેષ મિત વચઃ તદ્ધર્મહતવક્તવ્ય, ભાષાસમિતિરિત્યસૌ ૧ અર્થ—“જે સર્વ જીવોને હિતકારી અને દેવરહિત તેમજ મિત (માનવાળું -અલ્પ) વચન હોય તે ધર્મને માટે બેલવું, તેનું નામ ભાષાસમિતિ કહેવાય છે.” અહીં દોષ રહિત જે વચન કહ્યું છે, તે દેશે ક્રોધાદિક આઠ છે. તે વિષે ઉત્તરધ્યયનના વીશમાં અધ્યયનમાં કહ્યું છે કે – કહે માણે આ માયાઈ લેભે આ ઉવઉત્તયા હાસે ભયે મેહરીએ, વિગહાસુ તહેવ યા ૧ છે એઆઈ અણુ ઠાઈ, પરિવર્જિતુ સંજએ. અસાવજ્જ મિઅં કાલે, ભાસે ભાસિજ્જ પન્નવં છે રે ૧ એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy