SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ. . . . . . . ૨ પ. ૪ થે બાલગંગાધર શાસ્ત્રીએ અને વો, ૧ પા. ૧૯ મે પ્રિ. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર આંહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણાના વિગતપુરી તાલુકામાંના નિરપણુ ગામના નન્સ વલદ કસુની માલીકિનાં હતાં. પતરાં બે છે અને દરેક ૮"x પર માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણી બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડે છે અને કડીને વ્યાસ '' છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજાની કડી અખંડ હતી અને તે ” જાડી છે અને તેને ૧Y” વ્યાસ છે. તેના ઉપરની સીલને વ્યાસ ૧૭ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં યાત્રા લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુ જયસિહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયસિંહવને પણ જયાશ્રયને ઈલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગેપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેઈજો તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ તરાળા તરીકે શેઠું છે. , આ તામ્રપત્ર માટે ચાર મુદ્દા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીર્તિવર્માને સત્યાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રકષ્ઠ ઘેડે તેનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમમાહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જતાં મને તેની સત્યતા શંકા નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુક્યના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ દ્વર હોવાના કારણ સબબ ચાલુક્ય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવમન સત્યાશ્રયને ઈલકાબ આપ્યા હોય, જે કે પરમમાહેશ્વર લખાય તેવા અનન્ય શિવભક્ત પુલકેશી બીજ ન હતે છતાં પશ્ચિમાત્ય ચાલક બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલ નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હો જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનુધ્યાત કહ્યો છે તેને ખરો અર્થ તે તે થે જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં તા લુણઃ અગર તથા ગુગ ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા વારંવાર શબ્દ વપરાય છે. (ઈ. એ. વ. ૬ પા. ૧૯ . ૩ ને ને. ૧૦ . ૪ પા. ૯૪, . ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવમનું બીજું નામ હોય એમ કલ્પના કરવી જઈએ તેથી હારી માન્યતા છે કે આંહી તે માત્ર પમરાના અર્થમાં વપરાય છે (સરખા વિ. ૭ પા. ૧૬૧ પં. ૧ . ૫ પા. ૫૧ પં. ૧૩–૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩). વો. ૫ નં.૧૨ પં. ૧૪ અને નં. ૧૫ પં. ૧૩ માં જમા ને ઉપગ થએલ છે. ૧ ઈ. એ. વ. ૮ પા. ૧૨૩ ડો. જે. એફ. ફલીટ. (૧) મહાભારતને બીજે શ્લોક બીજા પતરામાં મુશ્કેલીથી કેતરવાની જગ્યા છે તેથી સંભવ છે કે સાલ બીજા પતરાની પાછળ કોતરી હોય. મૂળ પતરાંના અભાવથી તે બાબત ચકાસ કહી શકાતું નથી. (આ. શિ. વ. ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy