SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૯૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલો લેખ જે પતરાંઓ પર લખેલો હતું તે પતરાંઓ કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ. બારટન અને મેજર સી. એચ. વુડડાઉએ કપા કરી, મને થોડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિક ગ્રાફિક ઓફિસમાં મેકલ્યાં હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. પતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજુ તે ઉપર છે. અક્ષરે, જી રે.. એ. , . ૧૧ ૫, ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાંઓના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણુની ભૂલ તે જ વંશનાં બીજો પતરાંઓ કરતાં વધારે નથી. એક, રૂપ ને બદલે સઢ ની ભલ સંસ્કૃત મૂળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત્ ૨૮નાં શાસનેના શબ્દોને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીકત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં-૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવા જેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છેડી દેનાર પહેલે રાજા શીલાદિત્ય છે. ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નોંધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતો રજુ કરે છે, પહેલું,–તે વિષયવાર ત્ વર્ચમી રહોન્નવાસવાર એટલે, “ વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા હોવા ઉપર અથવા અંદર નાખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, આંહિ વિચિત્ર “હ” શબ્દ જે દેશી જેવું લાગે છે તે કઇક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જે નથી, અને તેના ચક્કસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જાણી શક નથી. પરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાંખેલે કઈ બગીચે હશે. બીજું, દાન લેનાર વન–વટપકતનિવિદ–નિવાસ–મદાવાદ–“હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક–વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવાજોગ છે-કારણ કે, જો કે બે અપવાદ સિવાય પિતાને ઘરમાર “ માહેશ્વરના પરમ ભકત” કહેવડાવતા વલભી રાજાઓનાં ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાંએ આપણી પાસે છે, તાપણુ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપાત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ સંઘને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શબ્દો કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણ લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક્યું નથી. ઘટ હાલના ૧ ઈ. એ. વ. ૯ પા. ૨૩૭૯-૨૩૯ ડે. જી. બ્યુહર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy