SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ર૦૬-છ વદિ ૬ કાઠિયાવાડમાં ગેહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા-પ્રાચીન વલભી–માંથી મળેલાં કઈ તામ્રપત્ર ઉપર આ લેખ છે. આ પતરાંઓ હાલ બ. બ્ર. ઓફ ર. એ. સે. ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાઓની સંખ્યા બે છે, અને દરેકનું માપ આશરે ૧૧” ” છે. લખાણના રક્ષણ માટે કાંઠાઓ જાડા વાળેલા છે. લેખને કાટને લીધે ઘણું નુકશાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નામના ઉપરથી લખેલાં બીજાં દાનની મદદથી, તે લગભગ આખે વાંચી શકાય છે. પહેલા પતરાને નીચે તથા બીજાને મથાળેથી થોડું ત્રાંબું કપાઈ ગયું હોવાથી ઘડી હકીકત તદ્દન નાશ પામી છે. પતરાંઓમાં બે કડીઓ માટે કાણાં છે. પરંતુ તે કડીઓ તથા મુદ્રા મળી આવતાં નથી. બન્ને પતરાંઓનું વજન ૨ પડ ૧૦૩ ઔસ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ ઓનરેબલ, વિ. એન, મંડલિકે જ. . . એફ એ. સે, . ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યો હતે. લેખ શિલાદિત્ય ૧ લાના સમયને છે. અને તારીખ આંકડાઓથી, સંવત્ ૨૮૬ ના જ્યેષ્ઠ વદ ૬ આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી, આ જર્નલમાં વેલ્યુમ ૯ પા. ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને બરોબર મળતી આવે છે. હમેશ મુજબ વંશાવળી ભટ્ટાથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામે બાદ કરતાં તેના પછીને સીધે વંશજ ગુહસેન હતો. તેને પુત્ર ધરસેન ૨ જે, અને તેનો પુત્ર શીલાદિત્ય ન હતું, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યું હતું, અને તેણે વલભી માંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં બીજ દાનપત્રમાં બતાવેલી રાજવંશી સ્ત્રી દુહાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. અને દાનનો હેતુ પણ હમેશ મુજબનો, એટલે, ધાર્મિક પૂજા, મઠમાં રહેનારાઓનું પોષણ, તથા મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવાનો છે. દાનની વસ્તુઓ નીચે મુજબ છે–પ૩રકૃપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યની માલિકીનું એક ક્ષેત્ર, અને એક . .. (?)ની માલિકીનું ઉચ્ચપદ્રકમાંનું ક્ષેત્ર, અદ્ધિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કકિકજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાણિપદ્રકમાં .....ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુષ્યક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકાઓ તથા કૂવાઓ છે. દાનમાં લખેલા અધિકારીઓમાં, દૂતક ભટ્ટાદિત્યયશસ, જે પ્રથમ વો. ૧ પા. ૪૬ પં. ૧૫ માં પણ બતાવેલ છે, તે અને સંધિવિગ્રહાધકૃત તથા દવિરપતિ વત્રભટ્ટિ છે. આ પાછળના અધિકારીનું નામ ઘણું દાનપત્રોમાં આવે છે, અને જુદી જુદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વ. ૧૪ પા. ૩૨૭ પ્રો. એફ. કિહોને ४१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy