SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ * गुजरातना ऐतिहासिक लेख કરનારાં દુઃખને હરે છે; જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસને પુરાવે છે, જેરા પ્રભાવ રાત્રગણુની લક્ષ્મીને સંતાપવામાં દક્ષ છે; (અને) જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે, તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુકતક, વિનિયુક્ત, દ્રાડ્રિંક, મહત્તર, ચાર્ટ, ભટ, ધ્રુવાધિકરણુક, હૃષ્ટપાશિક, રાજસ્થાનીય, કુમારામાય, અદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છેઃ- ( લી. ૨૧ ) તમને જાહેર થાએ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેાકમાં તેમજ પરલેાકમાં મારાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થ, ઉન્નતના વાસી, વાજસનેય–કવ સમ્રાચારી અને વત્સ ગેાત્રના બ્રાહ્મણ ફ્દ્રભૂતિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અથૈ ચંદ્ર, સૂરજ, સાગર, નદીઓ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પૌત્રાના ઉપભોગ માટે અન્તત્રા ગામમાં, શિવકદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દન્તિકની માલિકીની ૧૦૦ પાદાવત ભૂમિ, (અને) આની પશ્ચિમે ૧પ પાદાવર્ત; વળી પશ્ચિમ સીમામાં સ્કમ્ભસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત (અને) પૂર્વ સીમામાં ૧૦ પાઠ્ઠાવđ;-ડોમ્બિ૨.મમાં પૂર્વસીમામાં વર્ધકની માલિકીનાં ૯૦ પાદાવર્તઃ-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમા ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વીકિન્નિની માલિકીના ૨૮ પાદાવર્ત વિસ્તારના વાપી; (અને) ભુમ્ભમ્રપત્રકનામના પાદરમાં ભેાટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી;--આ સર્વ ઉદ્ગગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અન્ન, સુવણું, ાદેય સહિત, ઉર્દૂભવતી વેઠના ઠુકસહિત, (અને) રાજપુરૂષના હરતપ્રક્ષેપણુ મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે. ( લી. ૨૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્મદેય અનુસાર ઉપભાગ કરતા હાય, ખેતી કરતા હાય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કેઈએ પ્રતિબંધ કરવે નહિં. ( લી. ૩૦ ) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભટ્ટ નૃપેએ લક્ષ્મી અનિય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિઠ્ઠાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને ) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ. અને જે આ દાન જગ્ન કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાપ અને અન્ય અલ્પ પાપાના દોષી થશે. ( લી. ૩૨ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે~~ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ રસ્તે છે. ( પણ ) દાનજપ્ત કરનાર અને ( જપ્તિમાં ) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્કમાં વરે છે ! નૃપામાં ઉત્તમ હે યુધિષ્ઠિર ! દ્વિજોને આપેલી ભૂમિનું સંભાળથી રક્ષણ કર; (ખરેખર) દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કર્યો છે; જે સમયે જે ભતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હુમાં કરેલાં દાનનું ) ફળ છે ! ( લી. ૩૫ ) સાંધિવિગ્રહિક સ્કન્દભટથી આ દાનપત્ર લખાયું છે. (આ) મારા મહુારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત છે. કૃતક ચાર્મર છે. સંવત્ ૨૫ર, વૈશાખ વદે. ૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy