SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ गुजरातना ऐतिहासिक लेख તેમ જ જૈને જેને સંબંધ હાય તેની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને અલ્પા નામના કશ્યપગેાત્રના બ્રાહ્મણુ બ્રહ્મચારીઓને ચાગ્ય સંકલ્પ સાથે, પેાતાના માતાપિતાના પુણ્ય માટે અને પેાતાના આ લેાક તથા પરલેાકનાં ઇચ્છિત લેાની પ્રાપ્તિ અર્થે, વપલિકસ્થલીમાં આવેલા ડામરપાટક ગામની પૂર્વની સરહદપર ખેતી માટે (૬૦) સાઠ પાદાવર્તનું દાન કર્યુ છે. તેઓ બન્ને સામવેદ્યને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચહેામ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અને અતિથિ નામના પાંચ યા કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, તેમાં કુદરતે ઉત્પન્ન કરેલેા અથવા વાયુથી આણવામાં આવેલે પાક, સેાનું લેવાને અવિકાર, તથા ફરજીયાત મજુરીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આના ઉપભાગ તેના વંશજે ચાવચંદ્રદ્દિવાકરી કરશે. આને ઉપભેાગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડવામાં કાઇએ પણ તેઓને હરકત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને માનુષ્ય અસ્થિર છે, તથા આ દાનનું ફુલ પણ પેાતાને પણ મળવાનું છે,- એવું જાણી તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જે કાઈ આ દાન પાછું લેશે . અગર તેમ કરવામાં અનુમેદન આપશે તે ન્હાના અનેક પાપા સાથે મ્હાટાં પાંચ પાપેા કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ— જમીનનું દાન કરનાર માણુસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઇ લેવા દેનાર તેટલા જ વખત નરકમાં રહે છે. પાછું લેનારાએ કાળા સર્પો થઇ વિંધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હું સુધિ ષ્ઠિર ! રાજાઓમાં શ્રેષ્ઠ ! બ્રાહ્મણાને પૂર્વે આપેલાં દાનાનું રક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપલેાગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હૈાય છે તે જ તેના ઉપભેાગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિર્માલ્ય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયેા સાધુ પુરૂષ નિર્ધનાવસ્થાની બીકે તે પાછું લેશે ? ” સંધિવિગ્રહાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી ) સંવત ૨૫૨ ના વૈશાખ કૃષ્ણુપક્ષ પ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પેાતાના છે. કૃતક ચિખ્ખિર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy