SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ તે વસુદેવને અનેક પુરો છે, પરંતુ તેઓમાં બે પુત્ર છે તે, આકાશનું ભૂષણ જેવો ચંદ્ર અને રે SS સૂર્ય છે, તેમ યાદવવંશના ભૂષણરૂપ છે. તે બેમાં મોટો, તે જગતમાં એ એકજ બળવાન માટે ? બળદેવ એ નામે પ્રસિદ્ધ છે. જેના બાહુદડેએ શત્રુઓના હદયનેવિષે બળ એ નામનું સત્ય, નિરંતર સ્થાપન કર્યું છે. બીજા પુત્રનું નામ કર્યું છે. જેને બહુવૈભવ વીશેએ ઊપભોગ કરવા માટે યોગ્ય છે. જેનું અત્યંત તેજ એવું છે કે તે તેજ, સૂર્યના તેજનો પણ તિરસ્કાર કરે છે. ગોપાંગનાઓફૂપ વારપરિવારે વેકિત એવા જે કૃષ્ણ–તેની ક્રિડનું સાક્ષી, કાલિંદીની તીરે પાસપીપળાનું વૃક્ષ છે. અર્થાત ત્યાં એણે ક્રીડા કરેલી છે અને કશી વિગેરેને નાશ કરવા તત્પર એવો જેનો પરાક્રમરૂપ અગ્નિ, એવો તે પ્રદીપ્ત છે કે અનેક વીરરૂપ તૃણનો ગ્રાસકો છતાં પ્તિ પામતો નથી. ચાણમાને મારવા સારું પ્રસ્થાન કરવાની ઈચ્છા કરનારા જે કૃષ્ણના બાહુ-તનેવિષે ગોપીઓ કટાક્ષરૂપ કસ્તુરીએ સુવાસિત લેપ કરતી હતી. વળી જેનો પરાક્રમરૂપ ભેરવ, હાથમાં શકિત ગ્રહણ કરી જેણે સંપૂર્ણ પર્વતોને કંપાયમાન કર્યા છે એવો નૃત્ય કરતો છતાં કંસને કલ્પાંત કરતે હવે, અર્થાત સામર્થ્ય, એજ જેને પ્રિય છે અને કંપાયમાન કા છે સર્વ રાજાઓને જેણે એવું જેનું પરાક્રમ, તેણે કંસને ઘાત કર. વળી સમુદવિજ્યા, તેણે “દાછે, મતીના રક્ષણમાટે સમર્થ છે એવું જાણીને કૃષ્ણ તેને, દ્વારકનું રાજય એજ કોઈએક સમુદ-તેને છે " વિષે દેવતરૂપ કરતે હો. અર્થાત દારામતીને સર્વ રાજ્યકારભાર કૃષ્ણનેજ સોપ્યો છે. વળી પોતાની સંપત્તિએ કરી જેઓએ ઇંદને પણ જીત્યો છે એવા અનેક યાદો, જે દ્વારકામાં સંચાર કરે છે . એવી દારકાં તમે ઈ વખત સાંભળી નથી શુંતેઓનાં એવાં વચન સાંભળી “તે દુર યાદવો કે હજીપણ જીવતા છે એમ જણી અનિવચ્ચે દુખ પામીને જીવયશા અત્યંત ખેદયુક્ત થઈ પર પછી તે મારી સભામાં આવી, કેશ છૂટા મૂકી ઊંચસ્વરે રૂદન કરતી કરતી પૃથ્વી ઉપર પડી; અને ૬ સભામાં બેસનાર અને તે છવયશા દ્વારકાંસંબંધી સર્વ વૃત્તાંત કહેવા લાગી, ને બોલી કે, “હે ડૉ. તાત, એ ક્રુર એવા યાદવોનો જે તમે સંહાર નહિં કરશો તો હું નિશ્ચયે અગ્રિમાં પ્રવેશ કરીશ - એવાં એનાં વચન તે, મારા અંતઃકરણમાં સુખે ઊંધાયેલા ક્રોધને જાગૃત થવા માટે મંગળનિ છે. થયાં છતાં તે ક્રોધને ફરી શયન કરવા સારૂં મને એવી ચિંતા પ્રાપ્ત થઈ “હા ધિક, યાદવો બળીને ૨) તે ભસ્મ થયા એવું મારા સૈનીકોએ મને કહ્યું પરંતુ અદ્યાપિ તેઓ તો જીવતા છે, એ તે શું છે આશ્ચર્ય વારી અથવા તો યાદવ ભસ્મ થયા જ નથી. મારા ધારવામાં એમ આવે છે કે તે કેર વક્ર સ્ત્રી, યાદવોના પક્ષપાતની કોઈ વિજ હશે; માટે જ તેણુએ મારા પુત્રને ચિતાગ્રિમાં ફસાવી ન પ્રાણત્યાગ કરાવ્યો. એમ થયું તો પણ તેણે શું થવાનું છે? અદ્યાપિ તે યાદવે કાંઈ દૂર નથી. તો તેઓના વધને માટે મારે ક્રોધ-એજ ગ્રીષ્મg સંબંધી તાપ-તે પ્રાપ્ત થયો છતાં નહાની તલાવડી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy