SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ કાડ-૧ – ગાથા-૪૧ સન્મતિપ્રકરણ ભાંગા સંભવે છે અને વિરોધી બે ભાવ ભેગા કરવાથી અવક્તવ્યતાવાળા ભાંગા પણ બને છે. તેથી તેમાં સાતે ભાંગા સંભવે છે. આ રીતે જે જે અર્થપર્યાયો છે તેમાં સ્કૂલપર્યાયોને આશ્રયી અર્થપર્યાયોમાં સાત વિકલ્પો સંભવે છે. અને સમય-સમયવતી જે સૂક્ષ્મ અર્થપર્યાયો છે. તેમાં કાલ સમયમાત્ર હોવાથી તે પર્યાયો બોલી શકાતા નથી. પરંતુ તે તે પર્યાયો વાસ્તવિકપણે બોલવાને અશક્ય નથી. તેથી તેમાં પણ વક્તવ્યતાવાળા અને અવક્તવ્યતાવાળા એમ સાતે ભાંગા સંભવે છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધમાં જે કહ્યું છે કે અર્થપર્યાયમાં સાતે પ્રકારનો (સાતે ભાંગાવાળો) વચનપથ (બોલવાનો માર્ગ) ઘટી શકે છે. પદાર્થનો પોતાનો આ પર્યાય છે. પદાર્થનો પોતાનો ધર્મ છે. અને તે સ્થૂલ (દીર્ઘકાલવર્તી) તથા સૂક્ષ્મ (માત્ર સમયવર્તી) બન્ને પ્રકારના અર્થપર્યાયો છે. તથા તે અર્થપર્યાયો સાત ભાંગાવાળા છે. તેથી વક્તવ્ય અને અવક્તવ્ય એમ બન્ને પ્રકારે છે. હવે જે દીર્ઘકાલવર્તી વ્યંજનપર્યાયો છે તે વ્યંજનાત્મક પર્યાય હોવાથી ઉચ્ચારણાત્મક પર્યાય છે, એમ સમજીને તે પર્યાયમાં વક્તવ્યતાવાળા જ ભાંગા ઘટે છે અને તે પ્રથમ, દ્વિતીય અને મૂલગાથા ૩૬/૩૭માં કહેલા ક્રમ પ્રમાણે ચતુર્થભંગ એમ ત્રણ ભાંગા ઘટે છે. કારણ કે આ પર્યાયો વ્યંજનાત્મક એટલે ઉચ્ચારણાત્મક હોવાથી શબ્દોની સાપેક્ષતાવાળા છે. તેથી અવક્તવ્ય કે અવક્તવ્યતાથી યુક્ત એવા શેષ ભાંગા સંભવતા નથી તેથી આ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે જે વ્યંજનપર્યાયો છે તે માત્ર ૧ સવિકલ્પક, ૨ નિર્વિકલ્પક એમ બે ભાંગાવાળા અથવા તો બન્નેના યોગવાળા ચાર નંબરવાળા સવિકલ્પ-નિર્વિકલ્પક એમ ત્રણ ભાંગાવાળા હોય છે. સારાંશ કે અર્થપર્યાયો સાત ભાંગાવાળા અને વ્યંજનપર્યાયો ત્રણ ભાંગાવાળા હોય છે. જેમ કે સજીવપદાર્થમાં “પુરૂષ” પણાનો પર્યાય અને અજીવપદાર્થમાં “ઘટ” પણાનો પર્યાય દીર્ઘકાલવર્તી હોવાથી સદ્ગશપર્યાયપ્રવાહ સ્વરૂપ છે. તેથી તે “આ પુરૂષ છે. આ પુરૂષ છે” આમ, તથા “આ ઘટ છે આ ઘટ છે” આમ એક સરખું સશસ્વરૂપ હોવાથી સામાન્યપણે એટલે કે પુરૂષપણે અને ઘટપણે ભેદ પડતા નથી. તેથી એકરૂપ છે એટલે કે નિર્વિકલ્પક છે તથા બાલાદિભાવે અને સ્થાશ-કોશ-કુશુલ ઇત્યાદિ વિશેષરૂપે ભેદો પણ થાય છે. વિકલ્પો પડે છે. તેથી સવિકલ્પક પણ છે. આ રીતે નિર્વિકલ્પક અને સવિકલ્પક બન્ને ભાવો વ્યંજનપર્યાયમાં ઘટે છે. તેથી વક્તવ્યતાવાળા ૧-૨-૪ એમ ત્રણ ભાંગા જાણવા. અર્થપર્યાયો સ્કૂલ અને સૂમ બન્ને પ્રકારના હોવાથી વક્તવ્યતાવાળા અને અવક્તવ્યતાવાળા હોય છે તેથી તેમાં સાતે ભાંગા સંભવે છે. વિશેષાર્થીએ આ ગાથાનો ભાવાર્થ ગીતાર્થો પાસેથી વધારે સમજવા પ્રયત્ન કરવો. I૪૧ી. જે દ્રવ્ય જ્યારે જેવા પર્યાયરૂપે પરિણામ પામ્યું હોય છે તે દ્રવ્ય ત્યારે તેવા પર્યાય રૂપે જરૂર છે. છતાં તે દ્રવ્ય તેવું જ છે, અર્થાત્ ભૂતકાળના પસાર થઈ ચુકેલા અને ભાવિમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy