SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૪, ૩૫ શબ્દ છે તે વ્યંજનપર્યાય છે અથવા તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય એવું પુરુષરૂપ વસ્તુનું સ્વરૂપ તે ઉપચારથી વ્યંજન છે. આ બન્ને પ્રકારના વ્યંજનપર્યાયના અર્થમાં “પુરુષ' પુરુષ' એ પ્રકારે અભેદરૂપપણાથી પુરુષ ભેદને પામતો નથી. તેથી વ્યંજનપર્યાયના મતથી પુરુષરૂપ વસ્તુ સદા અવિકલ્પ છે=એકરૂપ છે. વળી પુરુષરૂપ વસ્તુના બાલ આદિ ભેદને ઋજુસૂત્ર આદિ અર્થનરૂપ અર્થપર્યાય જુએ છે અર્થાત્ ઋજુસૂત્ર આદિ અર્થનયો પદાર્થમાં રહેલા પ્રતિક્ષણ પરિવર્તન પામતાં બાલ આદિ ભાવોને પરસ્પર ભેદરૂપે જુએ છે. તેથી પુરુષરૂપ વસ્તુ વ્યંજનપર્યાયથી અભિન્ન છે અને અભિન્ન એવી તે પુરુષરૂપવસ્તુ અર્થપર્યાયથી ભેદને પ્રાપ્ત કરે છે. ll૧/૩૪ અવતારણિકા - एवं निर्विकल्पसविकल्पस्वरूपे प्रतिपाद्ये पुरुषादिवस्तुनि तद्विपर्ययेण तद् वस्तु प्रतिपादयन् वस्तुस्वरूपानवबोधं स्वात्मनि ख्यापयतीति दर्शनार्थमाह - અવતરણિકાર્ય : આ રીતે ગાથા-૨૯થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, નિર્વિકલ્પ-સવિકલ્પરૂપ પ્રતિપાદ્ય એવા પુરુષ આદિ વસ્તુમાં તેના વિપર્યયથી નિર્વિકલ્પ-સવિકલ્પ સ્વરૂપના વિપર્યયથી અર્થાત્ એકાંત નિર્વિકલ્પ કે એકાંત સવિકલ્પ સ્વરૂપથી, તે વસ્તુને પ્રતિપાદન કરતો પોતાના આત્મામાં વસ્તુના સ્વરૂપના અનવબોધને બતાવે છે. એ પ્રમાણે બતાવવા માટે કહે છે – ગાથા : सवियप्पणिब्बियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।।१/३५ ।। છાયા : सविकल्पनिर्विकल्पमितः पुरुषं यो भणति अविकल्पम् । सविकल्पमेव वा निश्चयेन, न सो निश्चितो समये ।।१/३५ ।। અન્વયાર્થ :રૂઆ રીતે, સવયશ્વિયખં=સવિકલ્પ-નિર્વિકલ્પ એવા, પુરિસં-પુરુષને, નો=જે. વયપં અવિકલ્પ, વા=અથવા, વવવ=સવિકલ્પ જ, મોન્ન=કહે છે, સકતે, fછUT=નિશ્ચયથી, સમ=સમયમાં, નિચ્છિગો=નિશ્ચિત, બ=નથી. I૧/૩પા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy