SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૨૪૩ ધારણ કરવું, અતિથિના ખાધા પછી જે શેષ બાકી રહે -તેનું ભજન કરવું વિગેરે વાનપ્રસ્થને ધર્મનાં સાધને સમજવાં. યમ, નિયમ વિગેરે ખબ દઢતા પૂર્વક પાળવા આ પતિએને ધર્મનાં સાધને સમજવાં. અધર્મનિરૂપણ. અધર્મ પણ આત્માને ગુણ વિશેષ સમજે. તેનું આચરણ કરવાવાળાને અહિત દુઃખ વિગેરેની પ્રાપ્તિ થાય છે. આજ કારણથી ધર્મશાસ્ત્રમાં અધર્માચરણને નિષેધ કરવામાં આવે છે. હિંસા, અસત્ય, ચેરી, પરદેશગમન, અસતેષ વિગેરે અધર્મનાં સાધને સમજવાં. જ્ઞાન વિનાના અને રાગદ્વેષવાળા પુરૂષને ડાં અધર્મ સહિત ધર્મમાં ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરવાથી પિતાના આશયને અનુકૂલ બ્રહ્મ, ઈન્દુ, પ્રજાપતિ, પિતૃલેક, મનુષ્યલોક વિગેરેમાં ઉત્પન્ન થયા બાદ ઈષ્ટ ઈન્દ્રિય વિષયક સુખાદિની પ્રાપ્તિ થાય છે. થડ ધર્મ સહિત ઘણા અધર્મથી પ્રેતયોનિ, તિર્યચનિ વિગેરે સ્થાનમાં જવાથી અનિષ્ટ ઇન્દ્રિયના વિષયે મળવાથી દુઃખાદિની પ્રાપ્તિ થાય છે. અધર્મસહિત પ્રવૃત્તિરૂપ ધર્મથી ચાર ગતિમાં વાર-વાર પરિભ્રમણ કસ્તે સંસારને અન્ય પ્રાપ્ત કરે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy