SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ તન્વાખ્યાન. મંત્ર સિવાયની ક્રિયાઓ કરવી, વેદ ભણવામાં અનધિકારિ પણું વિગેરે અને ધર્મનાં સાધને સમજવા ગુરૂકુલમાં નિવાસ કરે, નિરન્તર અગ્નિમાં હેમ કરે, જંગલથી લાકડાં લાવવાં, ભિક્ષા ભેજન કરવું, ગુરૂ મહારાજની સેવા વિગેરે બ્રહ્મચારીને ધર્મના સાધને સમજવા. યતિ, સાધુ, સંન્યાસી, પરિવ્રાજક વિગેરે સાધુનાં પર્યાય નામે છે. તે સાધુપણું બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ આચારમાં કઈપણ આશ્રમવાળો હોય તેને યતિ થવામાં કંઈ પણ બાધ નથી. અનુક્રમે ચારે આશ્રમ સેવવા જ જોઈએ એ નિયમ નથી. તેજ વાતની પુષ્ટિમાં ન્યાયકન્ટલી કારને અભિપ્રાય પૃ ૨૦૭ માં છે કે – यदहरेवाऽस्य श्रद्धा भवति तदहरेवाय प्रवजेत् જે દિસે શ્રદ્ધા થાય તે જ દિવસે સર્વને ત્યાગ કરી યતિ પણને પ્રાપ્ત કરે. એમાં આશ્રમનું કંઈ પણ કામ નથી. કોઈ પણ આશ્રમમાં હોય, પરંતુ સાધુ થવામાં વૈરાગ્ય-વાસનાયુક્ત શ્રદ્ધાજ કારણ છે. તે ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, આ પાંચ યનું સેવન, શાલીયા વૃત્તિ, યાયાવર વૃત્તિ, સંતોષવૃત્તિ વિગેરે ગૃહસ્થને ધર્મનાં સાધને સમજવાં. વલ્કલ, ચામડું, દાઢી, મુચ્છ, નખ, રેમ વગેરેનું
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy