SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ સમ્યગદર્શન (ગુજરાતી-હરિગીત છંદમાં “ચાર ભાવના”) સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા , સદગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજે; દુઃખી આ પ્રતિ કરૂણા અને દુશમન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના ” પ્રભુ! ચાર આ, પામે હદયમાં સ્થિરતા ૧૫ (૧) મૈત્રી ભાવના - જગતને જીવ મારીને પોતાના જીવ સરખા ગણી, કેઈપણ જીવની મન, વચન, કાયાથી હિંસા કરવી નહિ – દુભવવા સુધ્ધાં નહિ, કહ્યું છે ને ? પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય – વનસ્પતિ આદિના સૂક્ષ્મ જીની પણ મિત્રની જેમ રક્ષા કરવી, અર્થાત્ પ્રાણીમાત્રનું ભલું ચાહવું તે “સ્વ પર દ્રવ્ય મૈત્રીભાવના છે, અને સ્વ પોતાના) આમાના સાચા મિત્ર બનીને પિતાના અનાદિકાળના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયભાવોને છોડીને સમ્યગૂજ્ઞાન દર્શન-ચારિત્રની આરાધના કરવી તે “સ્વભાવ મૈત્રીભાવના” છે. મૈત્રીભાવ એ કષાયના ઉપશમનું કારણ છે. હજી ભાઇભાંડુ પ્રત્યે કોધાદિ આવી જશે, પણ મિત્રો પ્રત્યે નહિ આવે. તેથી મૈત્રીભાવને પ્રથમ સ્થાન ચારભાવનામાં હેતુ પૂર્વક આપ્યું છે, કારણ કે “ઉપશમ ” એ પણ સમકિતના પાંચ લક્ષણમાં પહેલું છે. કારણકે કોધાદિ કષાયે ઉપશાંત થાય નહિ, મંદ પડે નહિ ત્યાં સુધી સમક્તિ પ્રગટે જ નહિ. ઉપશમ એ ચારિત્ર (સંયમ) નું બીજ છે, અને ચારિત્ર એજ મેક્ષનું અનંતર કારણ છે. મૈત્રી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy