SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના સંખ્યાતીત વિદ્યુત-ચુંબકીય તરંગો પડે છે. જો આપણે એ બધાને સજીવ માની લઈએ તો પછી જીવવું જ મુશ્કેલ બની જાય. એક બીજી પણ વાત છે કે પ્રત્યેક સજીવ પદાર્થ પોતાની શારીરિક અને ભૌતિક ક્ષમતાનુસાર, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ પ્રમાણે, પોતાના શરીરમાંથી અમુક પ્રકારની, અમુક કંપ-સંખ્યાવાળા તરંગો કાઢે છે અને જેની કંપ-સંખ્યા, તરંગ-લંબાઈ વગેરે એની મનઃસ્થિતિઓ (શાંત, ભય, ક્રોધ, ઉદ્વેગ, શોક આદિ) પ્રમાણે બદલાતી રહે છે. એ સિદ્ધાંતના આધાર પર જ વિજ્ઞાનની ટેલીપથિ નામની શાખા વિકસિત થઈ છે. પશ્ચિમમાં આ માટે હજી પણ શોધ થઈ છે. અનુસંધાન ચાલુ છે. આ ચર્ચાનો સાર માત્ર એટલો છે કે પ્રકાશના રૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગો છોડવા અગ્નિકાયિક જીવનું લક્ષણ છે, એટલે બધા પ્રકારના પ્રકાશમાં જીવ છે, એમ માનવું ઉપર્યુક્ત નથી. એ બધાનો અર્થ એ નથી કે સાધુ-સમાજને દીપકના પ્રકાશના ઉપયોગ કરવાની છૂટ આપું છું, અથવા એવી છૂટ લેવા માટે મેં આ લેખ લખ્યો છે. ખરેખર સાધુ અથવા સાધ્વી તો બત્તી બાળી નથી શકતા, પણ બીજા કોઈ પાસે પણ બત્તી સળગાવવી ઉપર્યુક્ત નથી અને એનાથી પણ આગળ જો કોઈ બત્તી સળગાવતો હોય કે બુઝાવતો હોય તો એને પણ યોગ્ય નહીં માનવું અર્થાત્ અનુમોદન કરવું પણ બરાબર નથી. સાથે ઉપાશ્રયના નિકટવર્તી કોઈ ગૃહસ્થના ઘરની સળગાવેલી બત્તી અથવા રસ્તા પર સળગતી નગરપાલિકાની બત્તીની સહાયતાથી પોતાનું કોઈ કાર્ય સાધુ ન કરે, કારણ કે એમ કરવાથી એની અનુમોદના થઈ જાય છે. જો એ બત્તી સાધુ માટે અથવા સાધુના કહેવાથી નથી ક૨ાઈ તથા એના ઉપયોગથી પાપ લાગતું જ હોય, એમ પ્રાયઃ બધા જ માને છે, એટલે એવી બત્તીનો ઉપયોગ કરવાની છૂટ લેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અહીં તો ફક્ત જૈન આગમ અને વિજ્ઞાનના આધાર પર ‘પ્રકાશ સજીવ છે અથવા નહીં' એ પ્રશ્નના સમાધાનનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. (સંદર્ભ : દશવૈકાલિક સૂત્ર, હારિભદ્રીયવૃત્તિ, તત્ત્વાર્થસૂત્ર ટીકા, અધ્યાય ૨, ટીકાકાર-સિદ્ધસેન ગણિ. આચારાંગ ટીકા, શીલક્રાચાર્ય, સેનપ્રશ્ન, સંદેહ દોલાવલિ પ્રકરણ, ટેક્સ્ટ બુક ઓફ ક્વાડ્ટમ મિકેનિક્સ, પી. એમ. મૈથ્યુસ, કે. વેસ્ટેશન) (તીર્થંકર : ડિસેમ્બર, ૮૮) Jain Educationa International 296 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy