SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ-ઉપયોગ ૧૧૩ અથવા એક સ્થાનથી સ્થાનાંતર થવા રૂપ હોય છે, જ્યારે ઉપગની કિયા એક વિષયથી વિષયાંતર હવા રૂપ છે. તેથી બંને ક્રિયામાં જાતિભેદ છે. ૩. ઉપયોગ જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સંજ્ઞાવાળી જ્ઞાનાત્મક ક્રિયા બે પ્રકારની છે. જ્ઞાનમાં અહં તથા ઈદ, દ્વૈત (અલગપણું) છે, જ્યારે દર્શનમાં તેમ નથી. જ્ઞાનેન્દ્રિયેના માધ્યમથી જ્યારે ચેતના બાહ્ય જગતના વિષયથી પ્રતિબિંબિત થતી પ્રતીત થાય છે, અથવા અંતઃકરણના માધ્યમથી જ્યારે તે પિતાને અહં અને ઇદં બંને રૂપમાં વિભક્ત થતી પ્રતીત થાય છે, ત્યારે તે જ્ઞાન કહેવાય છે. બંને વિષયમાં તે ચેતના વિષયકાર હોય છે. અંતર કેવળ એટલું જ છે કે પ્રથમ ચેતનાને વિષય બહાર છે; અને બીજી ચેતનાને વિષય અંદર છે અર્થાત્ તે અક્ષય ખજાને છે. બાહ્ય કે અત્યંતર વિષયમાં ચેતનાનું વિષયાકાર હોવું તે “જ્ઞાન” કહેવાય છે. ચેતના જ્યારે એક ઇંદ્રિયનું અવલંબન છેડીને બીજી ઇંદ્રિયનું અવલંબન લે છે ત્યારે પિતાના ઉપગને બદલે છે. ત્યારે તે એક પળ-ક્ષણને માટે નિર્વિષય બને છે. પહેલી ઇંદ્રિયને વિષય છૂટી જાય છે, અને બીજી ઇંદ્રિયના વિષયને હજી ગ્રહણ કર્યો નથી તેવી મધ્યવતી તે ક્ષણ નિર્વિષય હોય છે. ચેતના જે સમયે નિર્વિષય હોય છે તે ઉપયોગને “દર્શન કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy