SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કમરહસ્ય કરવાવાળી ચેતના કેઈ અન્ય, અને કર્તૃત્વમાં કરવા-ધરવાવાળી ચેતના કોઈ અન્ય છે તેવું નથી. એક જ ચેતના એ બંને કાર્ય કરે છે. જાણવા તથા ભેગવવાના સમયે તે વિષયની અથવા સુખદુઃખની પ્રતીતિ કરે છે, અને કરવાના સમયે હલનચલનની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. વિષય તથા સુખદુ:ખની પ્રતીતિ કરતી વખતે તે “ઉપયોગ કહેવાય છે અને હલનચલનના કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે “ગ” કહેવાય છે. વાસ્તવમાં તે બંને શાસ્ત્રીય સંજ્ઞા છે. તે તેની બે પ્રકારની શક્તિને નિર્દેશ કરે છે. ચેતના એક સામાન્ય શક્તિ છે જેને પ્રકાશ સાથે સરખાવી શકાય છે. તેનું કારણ એ છે કે જેમ સૂર્યનાં કિરણેમાં પ્રકાશ અને તેની સાથે ગતિ જોઈ શકાય છે તેમ, ચેતનામાં જ્ઞાન અને તેની સાથે ક્રિયા જોઈ શકાય છે. સંસ્કૃતમાં જેટલા ગતિવાચક ધાતુઓ છે તે સર્વને જ્ઞાનવાચક પણ માનવામાં આવે છે. જેમ કે અવગમ, અધિગમ, આગમ, નિગમ-આ સવે ગતિને સૂચવતા ગતિવાચક શબ્દ જ્ઞાનના વાચક છે. “મારી આ વિષયમાં સારી ગતિ છે.” એ શબ્દપ્રયોગ જ્ઞાનના વિષયમાં જ થાય છે. આ પ્રકારે ચેતનામાં બે શક્તિઓ હોય છે. જ્ઞાનશક્તિ તથા ક્રિયા-શક્તિ. જ્ઞાન પ્રત્યે ઉપયુક્ત હોવાને કારણે તે “ઉપગ કહેવાય છે. અને ક્રિયા પ્રત્યે ઉપયુક્ત હોય ત્યારે બેગ કહેવાય છે ગતિયુક્ત હોવાને કારણે તે જ્ઞાનાત્મક ઉપયોગ પણ સ્વયં એક ક્રિયા છે, છતાં ગ શબ્દ દ્વારા જે ક્રિયાનો ઉલ્લેખ કરે ઈષ્ટ છે તે હાલવાચાલવા રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy