SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૭૩ દેવના ચાર કલેકે ઉદ્ધત કરવામાં આવેલા છે. આ નામના એક કરતાં વધુ કવિઓ સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા છે, અને તેથી આ શ્લેકે આપણા સંમેશ્વરના જ હોવા વિશે કંઈક સંદેહ રહે છે. પરંતુ ગુજરાતના કેટલાક સંસ્કૃત કવિઓ જેવા કે હેમચન્દ્ર, સમપ્રભ, શ્રીપાલ, વસ્તુપાળ, વાટ, વિજયપાલ, પ્રહલાદન, દેવધિ અથવા દેવબેધ,૩૪ કુમુદચન્દ્ર, અરસી ઠકકુર અથવા અરિસિંહના શ્લેકે “સૂક્તિમુક્તાવલી” માં છે તથા અણહિલવાડના સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહના બે શ્લેકે પણ એમાં ઉદ્દત કરવામાં આવ્યા છે, એ જોતાં ઉપર્યુક્ત સેમેશ્વરદેવ એ “કીર્તિકૌમુદી કાર સોમેશ્વર હોય એ તદ્દન શક્ય છે. “સૂક્તિમુક્તાવલિ'ના સંકલનાકરે નેંધ્યું છે તેમ, આ સોમેશ્વર પણ પિતાને સેમેશ્વરદેવ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરે છે એ જોતાં આ શક્યતા વધુ વજૂદવાળી બને છે. વળી “સૂક્તિમુક્તાવલિન કર્તા “વૈદ્યનાથપ્રશસ્તિ' માંથી બે શ્લોકો ઉતારે છે;૩૫ એ પ્રશસ્તિ સોમેશ્વરની જ રચના છે એ આપણે જોયું. સંસ્કૃત સુભાષિત સંગ્રહ શિલાલેખોમાંના લેકે ભાગ્યે જ ઉતારે છે, અને “વૈદ્યનાથપ્રશસ્તિ માંનાં પો એ રીતે ટાંકવામાં આવ્યાં છે એ બતાવે છે કે એ પ્રશસ્તિલેખ ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાવાળા ગણાતે હતો.૬ સેમેશ્વરકત “કીર્તિકીમદી'માંને એક શ્લેક (૭–૭૯. નિરિતું વિપિના૦િ) ઈ. સ. ના ૧૫ મા ३२. इन्द्राभ्यर्थनया०, यथावद्वादनात०, वनभुवि०, वाचं यस्य रस० ૩૩. કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૧૧૦૮-૯ ૩૪. “પ્રભાવચરિત' (૨૧) અનુસાર, સિદ્ધરાજના રાજ્યકાળમાં દેવધ અણહિલવાડમાં આવ્યો હતો અને રાજકવિ શ્રીપાલના સંપર્કમાં આવ્યું હતો. એ ભાગવત સંપ્રદાયના આચાર્યો હતો. દેવબેધ તેમજ શ્રીપાલ બને સિદ્ધરાજના પ્રીતિપાત્ર હતા, પણ એ બનેયના પરસ્પર સાથેના સંબંધે કઈ રીતે મૈત્રીભર્યા નહોતા. (૨. છો. પરીખ, “કાવ્યાનુશાસન,” પ્રસ્તાવના, પૃ. ૨૫૫ થી આગળ) ૩૫. હિનૂર સીમત્તાતઅને ચેતન ક્ષય. “ વૈદ્યનાથપ્રશસ્તિ ” બહુ જ ત્રુટક સ્થિતિમાં મળેલી છે, કેમકે જે શિલાઓ ઉપર તે કરેલી છે તે જીર્ણશીર્ણ સ્થિતિમાં છે, આથી આ બે લોકો એમાંથી ખોળી કાઢવાનું શક્ય નથી. ૩૬. “સૂક્તિમુક્તાવલિ'માં જેમાંથી શ્લોક ઉતારવામાં આવ્યો છે એ બીજે પ્રશસ્તિ લેખ તે “સેમિનાથપ્રશસ્તિ” છે (ધ્યાતાવ, આદિ). સ્પષ્ટ રીતે આ પણ ગુજરાતને પ્રશસ્તિલેખ છે. સેરઠી સોમનાથના મન્દિર સાથે સંબંધ ધરાવતા કોઈ વિદ્યમાન પ્રશસ્તિલેખમાં આ લેક નથી, તેથી અનુમાન થાય છે કે એ મન્દિરની–જેના અનેક જીર્ણોદ્ધાર થયેલા છે—કઈ પ્રાકાલીન પ્રશસ્તિમાંથી એ હશે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy