SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ અભ્યાસનાં સાધન ૩૯ વસ્તુપાળનાં જીવન અને કાર્યને વિચાર કરતાં પહેલાં એને અભ્યાસ માટેની ઉપલબ્ધ સાધનસામગ્રીને અહીં ઉલ્લેખ કરી લઈએ. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસના અભ્યાસીનું એ સદ્ભાગ્ય છે કે પોતાના વિષય માટે વિપુલ સાધન-સામગ્રી એને મળે છે. વસ્તુપાળ અને એના સાહિત્યમંડળ વિશેની અભ્યાસ સામગ્રીને ત્રણ ભાગમાં વહેંચી શકાયઃ (૧) સાહિત્યિક સાધન, (૨) ઉત્કીર્ણ લેખો, અને (૩) થાપત્ય. સાહિત્યિક સાધનને પણ બે ભાગમાં વહેંચી શકાય : (૧) સમકાલીન, અને (૨) પછીના કાળનાં. સમકાલીન સાહિત્યિક સાધન ૪૦. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, વસ્તુપાળ એ વિદ્યાને મહાન આશ્રયદાતા હતા અને એથી કવિઓ અને પંડિતો તેના સંપર્કમાં આવ્યા એમણે વસ્તુપાળ વિશે કરેલી અનેક સાહિત્યિક રચનાઓ સચવાઈ રહી છે, જેમાં પ્રકીર્ણ સુભાષિતોથી માંડી મહાકાવ્ય સુધીને સમાવેશ થાય છે. આ બધી રચનાઓ માત્ર વસ્તુપાળના પિતાના વૃત્તાન્ત માટે જ નહિ, પરંતુ ગુજરાતના ઇતિહાસ માટે પણ ઘણી ઉપયોગી છે, કેમકે વસ્તુપાળનું જીવન સમકાલીન ઇતિહાસ સાથે ઓતપ્રોત થયેલું છે. વળી આમાંની ઘણી રચનાઓ સંસ્કૃત કવિતાના પણ સુન્દર નમૂના છે. વસ્તુપાળે પિતે રચેલું “નરનારાયણનંદ” મહાકાવ્ય જેના છેલ્લા સર્ગમાં તે પોતાને અને પિતાના કુટુંબને વૃત્તાન્ત આપે છે તે ઉપરાંત આ વિષયના અભ્યાસ માટે આપણી પાસે નીચેની સમકાલીન સાહિત્યરચનાઓ છેઃ મહાકાવ્યોમાં સામેશ્વરકૃત “કીર્તિકૌમુદી' અને “સુરત્સવ, અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન, બાલચન્દ્રકૃત ‘વસંતવિલાસ,” અને ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય” અથવા “સંધપતિચરિત્ર” મળે છે. “કાર્તિકૌમુદી' “સુકૃતસંકીર્તન અને “વસંતવિલાસ” એ સમકાલીન ઈતિહાસમાંથી વસ્તુ લઈને રચાયેલાં છે અને એમાં નાયક વસ્તુપાળ છે. એમાંનાં પહેલાં બે વસ્તુપાળના જીવનકાળમાં જ રચાયેલાં છે, જ્યારે ત્રીજું “વસંતવિલાસએના અવસાન બાદ થોડા સમયમાં જ રચાયું છે; અને એ રીતે આ ત્રણ કાવ્યમાંથી વસ્તુપાળનો પૂરો વૃત્તાન્ત મળે છે (પ્રકરણ ૬, પરિચ્છેદ ૧); જોકે સાથોસાથ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાહિત્યશાસ્ત્રના નિયમ પ્રમાણે લખાયેલાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy