SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા [ ૧૭ લાકનાટય અર્થાત્ ભવાઈમાં તે જ્વત છે. વિક્રમ અને ભોજની જેમ સિદ્ધરાજ પણ જાણે કે એક દંતકથાનું પાત્ર બની ગયા છે. ઉજ્જયનીના વિક્રમાદિત્યનું અનુકરણ કરવાની સિદ્ધરાજની મહત્ત્વાકાંક્ષા હાય એમ જણાય છે.૩૮ એને દરબાર ભારતના સર્વ પ્રદેશેાના વિદ્વાનાનું આકર્ષણ બન્યા હતા. દિગબર આયાય કુમુદચંદ્ર અને શ્વેતાંબર આચાય વાદી દેવસૂરિ વચ્ચે થયા હતા એવા ૯ મહત્ત્વના વાદવિવાદે એના દરબારમાં થતા અને એ પ્રસંગે એ પ્રમુખસ્થાન લેતે, જે બતાવે છે કે એના સમયની જ્ઞાનની વિવિધ શાખાએથી એ પરિચિત હતા. માળવાની સાહિત્યસમૃદ્ધિ સામે ઊભા રહી શકે એવા ગ્રન્થાની રચના હેમચન્દ્રે સિદ્ધરાજની વિનતિથી કરી હતી. ૨૪. ‘ કલિકાલસર્વજ્ઞ ' હેમચન્દ્ર એ દેવચન્દ્રના શિષ્ય હતા. એમની સાહિત્યપ્રવૃત્તિ વિપુલ તેમજ વિસ્તૃત છે અને કવિ તેમજ પતિ તરીકે તેમણે વિવિધ ક્ષેત્રામાં લેખનકાર્ય કર્યું છે. ગુજરાત શ્વેતાંબર જૈનાના કેન્દ્ર તરીકે સદીઓ સુધી ચાલુ રહ્યું તથા બારમી અને તેરમી સદીમાં અહીં જૈન સાહિત્ય ખૂબ વિકસ્યું એના મુખ્ય યશ હેમચન્દ્રને ધટે છે. તે માત્ર જૈન ગ્રન્થાના રચયિતા નહેાતા, પરન્તુ તેમણે વ્યાકરણ, કાશ, અલંકાર અને છંદ જેવા સાર્વત્રિક અગત્યના સાહિત્યિક વિષયેા ઉપર મહત્ત્વના પાઠ્યગ્રન્થે આપ્યા. આ સર્વને કારણે તે કલિકાલસર્વજ્ઞ ' તરીકે ઓળખાય છે. અમદાવાદ પાસેના ધંધુકામાં ઈ. સ. ૧૦૮૯ માં એમના જન્મ થયા હતા. તે એક વેપારીના પુત્ર હતા. એમનાં માતા-મામા શ્રદ્ધાળુ જૈન હતાં અને બાલ્યવયમાં જ એમને જૈન સાધુ તરીકેની દીક્ષા અપાઈ હતી. જૈન સાધુ તરીકે એમણે પેાતાના જીવનને માટે। ભાગ ગુજરાતના પાટનગર અણુહિલવાડમાં ગાળ્યા હતા. જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય કરીતે પાછા આવ્યા ત્યારે અણુહિલવાડના વિદ્વાના એને અભિનવાને એકત્ર થયા હતા. ઉજ્જયિનીની સાહિત્યસમૃદ્ધિની સ્પર્ધા કરવાની ઇચ્છાથી સિદ્ધરાજે એ સમયે હેમચન્દ્રને એક વ્યાકરણ લખવાની વિનતિ કરી અને એ કાર્ય માટે દેશના જુદા જુદા ભાગામાંથી હેમચન્દ્રને પૂર્વકાલીન વ્યાકરણગ્રન્થા મગાવી આપ્યા. હેમચન્દ્રે પેાતાના સુપ્રસિદ્ધ વ્યાકગ્રન્થ લખ્યા તથા કર્તા હેમચન્દ્ર ૩૮. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૨. ૩૯. સમકાલીન લેખક ચરીશ્ચન્દ્રકૃત સ ંસ્કૃત નાટક ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ ’માં કુમુદચન્દ્ર અને દેવસૂરિના વાદનું તથા સિદ્ધરાજ અને એની સભાનું સુન્દર ચિત્રણ મળે છે. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy