SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ પુરાતન અવશે, ત્યાંથી મળેલા કેટલાક જૂના શિલાલેખ તથા “શ્રીમાલ પુરાણ” નામે ગ્રન્થમાં આપેલ પૌરાણિક અને અનુશ્રુત્યાત્મક વૃત્તાન્ત–એ બધું અત્યારનું શ્રીમાલ એક વારનું આબાદ શહેર હતું એ બતાવવાને બસ છે.૧૬ “પ્રભાવક ચરિત'(૧૪-૧૫)માં શ્રીમાલનું સુન્દર વર્ણન આપેલું છે તથા છેક ઈ. સ. ૧૬૧૨ માં નિકલાસ ઉફલેટ નામે અંગ્રેજ વેપારીએ ૩૬ માઈલના ઘેરાવાવાળી શ્રીમાલની કિલ્લેબંધી તથા એમાંનાં બિસ્માર બનતાં સંખ્યાબંધ સુન્દર સરોવરોને ઉલ્લેખ કર્યો છે. ૧૭ એમાંનું કશું આજે જોવા મળતું નથી. ૧૨. વલભીપુરની જેમ શ્રીમાલ પણ બ્રાહ્મણ અને જૈન વિદ્યાઓનું કેન્દ્ર હતું અને યુવાન-ચાંગને કથન પ્રમાણે ત્યાં બૌદ્ધ ધર્મ પણ પ્રચલિત હતે. ‘શ્રીમાલપુરાણ અનુસાર, શ્રીમાલમાં એક હજાર બ્રહ્મશાલાઓ અને ચાર હજાર મઠો હતા, જ્યાં વિવિધ શાસ્ત્રને અભ્યાસ થતો હતો. પુરાણકાર चतुर्वेदाः सागाश्च युपनिषत्सहितास्तथा । सर्वशास्त्राणि वर्तन्ते श्रीमाले श्रीनिकेतने ॥ (અધ્યાય ૭૧, બ્લેક ૯) ૧૩. ભિન્નમાલ વિશે સર્વ પ્રથમ આધારભૂત માહિતી વર્મલાતના એક શિલાલેખમાંથી મળે છે. “પ્રભાવકરિત' અનુસાર, આ વર્મલાત ભિન્નમાલને રાજા હતો. આ શિલાલેખમાં વિ. સં. ૬૮૨ (= ઈ. સ. ૬ર૬) નું વર્ષ છે. માધ કવિએ “શિશુપાલવધ” ની પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે જ વર્મલાત ઘણું કરીને આ હશે. જે આ વસ્તુ સ્વીકારવામાં આવે ત, પરંપરાનુસાર શ્રીમાલવાસી એવા માઘ કવિને આ કરતાં આશરે પ૦ વર્ષ તથા અર્વાચીન કાળમાં અર્થ ભ્રમ ટાળવા માટે શ્રી. ઉમાશંકર જોશીએ “મારગુર્જર એવું સુભગ નામ એને આપ્યું છે. ચૌલુક્ય સમયમાં રાજકીય તેમજ સાંસ્કારિક દૃષ્ટિએ “ગુજરાત” માં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનનો સમાવેશ થતો હતો અને લાટ અથવા દક્ષિણ ગુજરાત, તે ઉપર સિદ્ધરાજે વિજય કર્યો ત્યાર પછી, ગુજરાતના રાજ્યમાં ઉમેરાયું હતું. પંદરમા સૈકામાં અમદાવાદમાં દિલ્હીથી સ્વતંત્ર ગુજરાતી સલ્તનત સ્થપાયા પછી ગુજરાત અને રાજસ્થાનને સ્વતંત્ર રીતે વધારે વેગથી વિકાસ થયે હોય એ શક્ય છે. ૧૬. ભિન્નમાલના અવશેષોના વિગતવાર વર્ણન માટે બેંગેના પરિશિષ્ટમાં એ વિશે જેક્સનનો નિબંધ જુઓ. ૧૭. એ જ, પૃ. ૪૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy