SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ વ્યાકરણ ગ્રન્થો સંસ્કૃતના વ્યાકરણ-સંપ્રદાય ૨૭૨, વ્યાકરણ એ વેદના અધ્યયનમાં ઉપયોગી છ વેદાંગમાંનું એક અંગ છે. શાકલ્થ તયાર કરેલે “ઋગ્વદને પદપાઠ, પ્રાતિશાખ્યો અને શિક્ષા બતાવે છે કે વેદના સંશોધન માટે તથા શુદ્ધ સ્વરૂપે એને ઉચ્ચાર કરવા માટે કેટલી કાળજી લેવામાં આવતી હતી. યાસ્કના “નિરુક્ત' (ઈ. સ. પૂર્વે ૭૦૦ અસપાસ) ઉપરથી જણાય છે કે વેદને આધારે વ્યુત્પત્તિ અને ભાષાવિષયક ચર્ચા કેવી રીતે ચાલતી હતી તથા યાસ્કના સમય સુધીમાં વેદના અર્થ નિર્ણયને લગતી જુદી જુદી પરંપરા સ્થાપિત થઈ ચૂકી હતી. પરંતુ પ્રાચીન ગ્રન્થ સાથે સંબંધ ધરાવતા વ્યાકરણવિષયક પ્રશ્નોની ચર્ચા કરતા વૈયાકરને લેકની ચાલુ ભાષાને પણ વિચાર કર્યા વિના ચાલે એમ નહોતું; અને ઘણું કરીને એ વલણમાંથી લૌકિક વ્યાકરણોને ઉદ્દભવ થયો. વેદની આર્ષ ભાષાથી ભિન્ન એવી લૌકિક સંસ્કૃતના ચાલુ પ્રવેગનું નિરૂપણ કરતું પહેલું ઉપલબ્ધ વ્યાકરણ એ પાણિનિની “અષ્ટાધ્યાયી” (ઈ. સ. પૂર્વે પ૦૦ આસપાસ) છે. એમાં શાકટાયન (૩-૪-૩), આપિશલિ (૬-૧–૯૧), - ટાયન (૬–૧–૧૨૩), શાકલ્પ (૧-૧-૧૬), ચાફવર્મા (૬–૧–૧૨૮), સેનક (૫–૪–૧૧૨), ગાગ્ય (૮-૩-૨૦), ગાલવ (૬-૩-૬૧) આદિ પુરોગામીઓને પાણિનિએ નામ દઈને ઉલ્લેખ કર્યો છે, જે બતાવે છે કે પાણિનિની પૂર્વે પણ કેટલાંક અગત્યનાં વ્યાકરણે હતાં. પ્રાચો વિશેના પાણિનિના ઉલ્લેખ ઉપરથી કેટલોકોએ ઐન્દ્ર વ્યાકરણના અસ્તિત્વનું અનુમાન કર્યું છે, જેનું સ્થાન પાણિનિના વ્યાકરણે લઈ લીધું. પતંજલિના શકવતી “મહાભાષ્ય (ઈ. સ. પૂર્વે ૧૨૦ આસપાસ) ઉપરાંત પાણિનિનાં સૂત્રો ઉપર કેટલીક આનુષંગિક રચનાઓ થઈ છે, જેમાં કાત્યાયનકૃત “વાર્તિક' (ઈ. સ. પૂર્વે ૩૫૦ આસપાસ), જયદિત્ય અને વામનની “કાશિકાવૃત્તિ' (ઈ. સ. ને હમે સકે), ધાતુપાઠી, શાકટાયન અથવા વરરુચિએ રચેલાં ગણાતાં ઉણાદિસૂત્ર, અને શાન્તનવકૃત ‘ફિસૂત્રને ઉલ્લેખ કરી શકાય; એ પછી સંખ્યાબંધ મહત્ત્વને ગ્રન્થ એ વિશે રચાયા છે, જેઓને વિશે અહીં નેધ કરવી જરૂરી નથી. ૧. બેઘેલકર, સિસ્ટમ્સ ઑફ સંસ્કૃત ગ્રામર, પૃ. ૧૦ થી આગળ ૨. પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૨, પૃ. ૪૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy