SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ “કાવ્યકલતા' ઉપરની બીજી યજ્ઞ વૃત્તિ—પરિમલ” ૨૬૮. “કાવ્યકલ્પલતા” ઉપરની બીજી પત્ત વૃત્તિ પરિમલને રૂઢ અર્થમાં ટીકા ગણી શકાય નહિ; મૂળ ગ્રન્થના જુદા જુદા મુદ્દાઓનું એ સ્વતંત્ર, રસળતું, અને બહુ વ્યવસ્થિત કહી શકાય નહિ એવું વિવરણ છે. પરિમલ” હજી અપ્રકટ છે. પાટણના જૈન ગ્રન્થભંડારમાંથી પરિમલ ની બે હસ્તપ્રતો મને મળી હતી; તે બન્નેય બીજા પ્રતાન (શ્લેષસિદ્ધિ)ના આરંભે લગભગ સમાન સ્થાનેથી અધૂરી રહે છે, તેથી આ બહુ રસપ્રદ કૃતિને પૂરો અભ્યાસ હું કરી શક્યો નથી. અમરચન્દ્રકૃત “પદ્માનન્દ મહાકાવ્યની પ્રસ્તાવનામાં (પૃ. ૪ર) શ્રી. હીરાલાલ કાપડિયાએ “પરિમલની ત્રીજી એક હસ્તપ્રતની નોંધ કરી છે, પરંતુ તે પણ અપૂર્ણ હોવાથી આ દષ્ટિએ બહુ ઉપયોગી નથી. “જન ગ્રન્થાવલિ માં “પરિમલ'નું પ્રસ્થાઝ ૧૧રર શ્લેક આપેલું છે, પણ એ ભૂલ જણાય છે. ઉપર કહ્યું તેમ, બીજા પ્રતાનના આરંભ આગળથી અપૂર્ણ એવી પાટણની બે હસ્તપ્રતોનું પ્રસ્થાઝ શ્રી. મુરારિલાલ નાગરે આશરે ૪૫૦૦ શ્લોક ગણ્યું છે, અને આખેયે ગ્રન્થ તે ચારે પ્રતાને ઉપરની વૃત્તિ હશે, એ જોતાં એનું પ્રસ્થાશ્ર દશ કે અગિયાર હજાર શ્લેકથી ઓછું હવા સંભવ નથી. પહેલા પ્રતાનના બીજા સ્તબકનું વિવરણ કરતાં અમરચન્ટે છંદ શાસ્ત્રની લંબાણપૂર્વક ચર્ચા કરી છે તથા હેમચન્દ્ર “છન્દાનુશાસન'માં કર્યું છે તેમ, અપભ્રંશ છેદ વિશે પણ માહિતી આપી છે. સાધારણ રીતે હેમચન્દ્રને અનુસરીને અહીં કર્તાએ છ પ્રકારની પ્રાકૃતિનાં લક્ષણ આપ્યાં છે. પાંચમા સ્તબક ઉપરના વિવરણમાં અમરચન્દ્ર વિવિધ વિદ્યાઓ, કલાઓ, શસ્ત્રાસ્ત્રો, દેવો અને દેવીઓનાં સ્વરૂપ, જુદાં જુદાં દર્શનેના સિદ્ધાન્ત, તથા કાવ્યરચના કરનારાઓને ઉપયોગી થાય એવા સામાન્ય જ્ઞાનના વિષયો પર માહિતી આપી છે. શગાર એ સંસ્કૃત કવિઓને પ્રિય રસ છે, અને તેથી કર્તાએ કામશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે અને સ્ત્રીપુરુષના કામશાસ્ત્રોકત પ્રભેદોથી માંડી સુરતક્રીડા સુધીના વિષય ચર્ચા છે. એ પછી નાયક, પ્રતિનાયક અને નાયિકાનાં લક્ષણ આપવામાં આવ્યાં છે. સર્વ જીવોનાં લક્ષણ આપતાં કર્તાએ સરિસૃપે (સર્પાદિ), દ્વિપદ, ચતુષ્પદ અને પર્પદોનાં લક્ષણ આપ્યાં છે, જે કવિતાની રચનામાં ઉપયોગી થાય. વળી કર્તાએ પૌરાણિક ભૂગોળની અને ભારતની એ સમયે જાણવામાં આવેલી ભૂગોળની પણ કંઈક માહિતી આપી છે. કાલગણના ૪૩. “જૈન ગ્રન્થાવલિ', પૃ. ૨૧૬; તેને અનુસરીને જિરકે, પૃ. ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy