SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ રરપ સૌથી જૂની ઉપલબ્ધ કૃતિઓમાંની એક છે તથા એની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા જોતાં કાવ્યકલાના વ્યવહાર અંગ વિશેના સૌથી પ્રમાણભૂત અને માહિતી પૂર્ણ સંરકૃત ગ્રન્થ તરીકે એને સહેલાઈથી ગણી શકાય એમ છે. “કાવ્યકલ્પલતા કારિકાઓમાં છે, અને કાશી સંસ્કૃત સિરીઝની મુદ્રિત આવૃત્તિમાં એ કારિકાઓની સંખ્યા ૮૯૮ છે. “કવિશિક્ષા’ વૃત્તિ આ કારિકાઓ ઉપરની મૂળને બરાબર વફાદાર રહીને ચાલતી ટીકા છે. આથી ઊલટું, “પરિમલ” મૂળ કારિકાઓના વિષયોની સ્વતંત્ર, રસળતી સમજૂતી છે. “કવિશિક્ષા' વૃત્તિનું ગ્રન્થાઝ ૩૩૫૭ લેક છે.૪૦ કાવ્યકલ્પલતા” તથા તેની આ વૃત્તિમાં નિરૂપેલા વિષયેના સાર ઉપરથી કવિશિક્ષાને લગતા પ્રન્થની ક્ષેત્રમર્યાદા તથા એઓને પ્રકાર ધ્યાનમાં આવશે. - ૨૬૪, “કાવ્યકલપલતા ચાર પ્રતાનમાં વહેચાયેલો છે : છંદસિદ્ધિ, શબ્દસિદ્ધિ, શ્લેષસિદ્ધિ, અને અર્થસિદ્ધિ.' આ પ્રતાન પાછા તબક્કામાં વહેચાયેલા છે. “છંદસિદ્ધિપ્રતાનને (૧) પહેલે સ્તબક અનુગ્રુપ-શાસન છે. સંસ્કૃત કવિતામાં અનુષ્ટ્રપ એ સૌથી લોકપ્રિય છંદ હોઈને કર્તાએ એ છંદમાં રચના માટેનાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે. અનુષ્ણુપ છંદમાં બંધ બેસે એવા સુયોગ્ય શબ્દ તેમણે આપ્યા છે તથા અક્ષરો અને માત્રાઓની ગણનાની પદ્ધતિ સમજાવી છે. (૨) બીજા સ્તબકનું નામ છંદભ્યાસ છે. એક ચરણમાં ૯ થી માંડી ૨૧ અક્ષર આવતા હોય એવા મુખ્ય છંદોની તથા આર્યાની લાક્ષણિકતાઓ એમાં બતાવી છે. છંદરચનામાં પ્રવીણતા મેળવવા માટે કર્તા વાર્તાકથન, અને નગરવણન, દૈનિક કાર્યો, લોકવૃત્ત આદિના વર્ણનથી હથોટી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે, જેને પરિણામે કવિની દૃષ્ટિમાં ઊંડાણ આવે તથા એને વિસ્તાર વધે. પોતાના અથવા બીજા કવિના વિચારો એક અથવા વધુ છંદોમાં ગોઠવવાનું તથા એક છંદનું બીજા ૪૦, જિરકે, પૃ. ૮૯ ૪૧. ગ્રન્થવિભાગોને અંતે નિપુણતાસૂચક સિદિ’ શબ્દ છે એ નોંધપાત્ર છે, કેમકે મહાન વિદ્વાન અકલંક (ઈ. સ. ૬૪૩ આસપાસ)ના ‘સિદ્ધિવિનિશ્ચય ગ્રન્થનાં તમામ પ્રકરણોનાં નામને અંતે સિદ્ધિ' શબ્દ આવે છે. તથા “બ્રહ્મસિદ્ધિ ‘ઇષ્ટસિદ્ધિ,” અદ્વૈતસિદ્ધિ,' આદિ વેદાન્તના પ્રસિદ્ધ ગ્રન્થ છે. ઉદયપ્રભસૂરિકૃત એક જયોતિગ્રન્થનું નામ “આરંભાસિદ્ધિ છે (પેરા ૧૧૬ અને ૩૦૧).આમ કાવ્યકલ્પલતાનાં પ્રકરણોનાં નામ સૂચક છે, કેમકે વિદ્વત્તા તેમજ આધ્યાત્મિક વિકાસની બાબતોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિની અગત્ય ઉપર ભાર મૂકતી વિદ્યાવિષચક તેમજ દાર્શનિક પરંપરાનું એ પરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy