SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ (શ્ર્લેક ૧૭૫-૭૬) અને નરેન્દ્રપ્રભસૂરિની પહેલી વસ્તુપાલપ્રશસ્તિ'માં (શ્લાક ૪૮-૫૦) પણ છે. વીરધવલ એની રાણી અને મંત્રીનાં કેટલાંક સંબધીઓની મૂર્તિઓ મુકાયાના ઉલ્લેખ ‘સુકૃતકાર્તિકલ્લોલિની' અને ઉપર્યું ત ‘વસ્તુપાલપ્રશસ્તિ’માં છે, તથા માળવાને રાજા સુભટવર્મા ગુજરાત ઉપર આક્રમણ કરીને સુવર્ણ કલશે! હરી ગયા હતા તેને સ્થાને તેજપાળે ઉપર્યુક્ત કલશ મુકાવ્યા હતા એ વસ્તુ ત્રણે કાવ્યામાં સમાન રીતે કહેવામાં આવી છે. ‘દર્ભાવતીપ્રશસ્તિ’ના મૂલ પાઠે ઉપલબ્ધ નથી, અને તેથી એનું સાહિત્યિક મૂલ્યાંકન શકય નથી. વસ્તુપાળ અને તેના પુત્ર જેત્રસિંહ વિશેની ગ્રન્થપ્રશસ્તિઓ ૨૨૦. અગાઉ (પૅરા ૯૧) કહેવામાં આવ્યું છે કે વસ્તુપાળે અણુહિલવાડ, ખંભાત અને ભરૂચમાં મેટા ખર્ચે ત્રણ ગ્રન્થભડારા સ્થાપ્યા હતા. ખાસ કરીને જૈનેમાં એવી એક પરપરા છે કે જેઓ આવા ગ્રન્થભંડારા સ્થાપે અથવા ભડારામાં મૂકવા માટે મેટી સંખ્યામાં હસ્તપ્રતાની નકલ કરાવે તેઓ પ્રત્યેક હસ્તપ્રતને અંતે પાતાની પ્રશસ્તિ મુકાવતા (પૈરા ર૦૬), અને વસ્તુપાળ સ્થાપેલા ગ્રન્થભંડારામાંનાં પુસ્તકને અંતે પણ આવી પ્રશસ્તિઓ હશે એમ આપણે કલ્પી શકીએ. પરન્તુ દુર્ભાગ્યે અત્યારે આ ગ્રન્થભંડારાનેા પત્તો નથી. માત્ર એને એક જ વિરલ અવશેષ બચ્યા જણાય છે. પાટણના તપાગચ્છ ભંડારમાં શ્રીચન્દ્રસૂરિષ્કૃત ‘-તકપુર્ણિવ્યાખ્યા’ની સં. ૧૨૮૪ (ઈ. સ. ૧૨૨૮)માં લખાયેલી એક તાડપ્રત્રીય હસ્તપ્રત (ન. ૮) છે. ગ્રન્થના પાઠ એના પત્ર ૧૭ ઉપર પૂરા થાય છે; એ પછીના પત્રને મૂલ અંક ઘસાઈ જવાથી પાછળથી ખીન્દ્ર હસ્તાક્ષરમાં એ ઉપર કાઇએ ૧૦૮ અંક લખેલા છે; એના ઉપર વસ્તુપાળની પ્રશ'સાના ચાર શ્લાક છે. આ ચાર લેાકના ક્રમાંક ૩૭ થી ૪૦ છે. અને કાઈ ઐતિહાસિક પ્રસંગને ઉલ્લેખ નહિ કરતાં બીજી કેટલીક પ્રશસ્તિઓમાં મળે છે તેવી "કેવળ અલકારપૂર્ણ સ્તુતિ એમાં છે.૧૪ ૪૦ ક્લાકની લાંખી પ્રશસ્તિના આ ચાર અંતિમ ક્ષેાા છે એમ જણાય છે. દેખીતું છે કે ઉપર્યુક્ત તાડપત્રીય હસ્તપ્રતના પત્ર ૧૦૭ પછીનાં ઘેાડાંક પાન ખાવાઇ ગયાં છે; એમાં પ્રશસ્તિના ૧ થી ૩૫ શ્લાક હશે. આ શ્લાક પડી ગયા છે. એને જેને ખ્યાલ નહિ રહ્યો હૈાય એવા પાછળના કાઈ અજ્ઞાન વાચકે છેલ્લા પત્ર ઉપર ૧૦૮ અંક લખી દીધા હશે. એમ ધારીને કે આ પ્રતનેા ભાગ કાઇ ત્રુટિત નથી. ગમે પાભ’સુ, રૃ, ૪૦૦, ૧૪, આ ચાર શ્લેાકેાના પાઠ માટે જુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy