SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ મહાકાવ્ય ૧૩૬ વસ્તુપાળના સાહિત્યમંડળને ઐતિહાસિક દષ્ટિએ તથા એમાંના કવિપંડિતના જીવનવૃત્તની દષ્ટિએ અભ્યાસ કર્યા પછી તેમણે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળાને આપણે વિચાર કરીએ એ માટે કવિપડિતાએ રચેલી સાહિત્યકતિઓની સમાલોચના કરવી જરૂરી છે. પ્રકાર અનુસાર એ સાહિત્યના વિભાગો પાડીને આ સમાલોચના કરવાનું સગવડભર્યું થશે. સૌ પહેલું આપણે મહાકાવ્ય લઈએ. મહાકાવ્યનાં લક્ષણે ૧૩૭, મહાકાવ્ય (“મોટું વર્ણનાત્મક કાવ્ય ')" એ સંસ્કૃત સાહિત્યનું કદાચ સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે અને અશ્વઘોષના સમયથી અથવા તેની પહેલાંથી સેંકડે કવિઓએ એ પ્રકારની રચના કરી છે. જોકપ્રિયતા પર એની કંઈક તુલનામાં ઊભા રહી શકે એ પ્રકાર માત્ર નાટકને છે. “કાવ્યાદશમાં દંડીએ (ઇ. સ. ૬૦૦ આસપાસ) મહાકાવ્યનાં લક્ષણે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે: “સર્ગ બંધ તે મહાકાવ્ય છે. તેનું લક્ષણ કહું છું. આશિષ, નમસ્કાર કે વસ્તુનિર્દેશ એ તેને મુખબંધ છે. ઈતિહાસની કથા ઉપર રચાયેલું અથવા બીજું જેમાં પુરુષોને આશ્રય હોય તેવું (‘સદાશ્રય”) ચતુર્વર્ગના ફલવાળું, ચતુર અને ઉદાત્ત નાયકવાળું, નગર, સમુદ્ર, પર્વત, ઋતુ, ચન્દ્ર સૂર્યના ઉદય વગેરેનાં વર્ણનથી તેમજ ઉદ્યાનક્રીડા, જલક્રીડા, મધુપાન અને રત્સવથી, તેમ વળી વિપ્રલંભ, વિવાહ તથા કુમારના જન્મ અને ઉદયનાં વર્ણનથી, તેમ મંત્રણા, દૂત, પ્રયાણ, યુદ્ધ અને નાયકના અભ્યદયથી અલંકૃત, અસંક્ષિપ્ત, ચાલુ રસ અને ભાવવાળું, બહુ લાંબા નહિ એવા સૌંવાળું, શ્રવ્ય વૃત્તોવાળું, યોગ્ય સંધિઓવાળું, બધે જ ભિન્ન વૃત્તાન્તવાળું (અર્થાત જેના પ્રત્યેક સર્ગને અંતે ભિન્ન વૃત્ત આવે છે એવું), લેકનું રંજન કરે તેવું અને સારા અલંકારવાળું કાવ્ય કલ્પથી પણ વધુ ટકે એવું થાય છે.” ૧. “રામાયણ અને મહાભારત થી ભેદ દર્શાવવા માટે “મહાકાવ્ય”નું આ રીતે શાબ્દિક ભાષાતર કર્યું છે. રામાયણ” અને “મહાભારત” માટે વીરકાવ્ય (Epic) શબ્દ વાપરી શકાય. ૨. “કાવ્યાદર્શ ', ૧-૧૪ થી ૧૯. ઉપરનું ભાષાન્તર શ્રી. ડેલરરાય માંકડનું છે (જુઓ “સંદેશ” દીપોત્સવી અંક, સં. ૨૦૦૬, પૃ. ૨૭). મહાકાવ્યની બીજી બે વિગતવાર વ્યાખ્યાઓ માટે જુઓ ઢટને “કાવ્યાલંકાર” ૧૬-૭ થી ૧૮ અને સાહિત્યદર્પણ”. ૬-૩૧૫ થી ૩૨૫. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy