SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : ૭ બાલભારતના એક સુન્દર લેકમાં પ્રભાતેદધિમંથન કરતી સુન્દરીની વિલેલ વેણીની તુલના તેમણે અનંગના કૃપાણ સાથે કરી છે.૧૧૬ અમરચન્દ્રની મૂર્તિ - ૧૦૯ પાટણમાં ટાંગડિયાવાડાના જૈન મન્દિરમાં પંડિત મહેન્દ્રના શિષ્ય કઈ મદચન્દ્ર સં. ૧૩૪૯ (ઈ. સ. ૧૨૯૩)માં પ્રતિષ્ઠિત કરાવેલી અમરચન્દ્રની મૂર્તિ છે. ૧૧૭ અમરચન્દ્ર કઈ ગચ્છાધિપતિ નહેતા, તોપણ એમના અવસાન પછી થોડાં વર્ષમાં એમની મૂર્તિ એક જૈન મન્દિરમાં પ્રતિષ્ઠિત થઈ અને પૂજાવા લાગી એ વિદ્વત્તા અને સાહિત્યના ક્ષેત્રમાં તેમજ તત્કાલીન જૈન ધાર્મિક સમાજમાં એમનું વિશિષ્ટ સ્થાન બતાવે છે. (૮) વિજયસેનસૂરિ जीया विजयसेनस्य प्रभोः प्रतिभदर्पणः। प्रतिबिम्बितमात्मानं यत्र पश्यति भारती॥ –ઉદયપ્રભસૂરિ૧૧૮ मुनेर्विजयसेनस्य सुधामधुरया गिरा । भारतीमजुमञ्जीरस्वरोऽपि परुषीकृतः॥ -સોમેશ્વર ૧૯ | વિજયસેનસૂરિ–વસ્તુપાળના કુલગુરુ ૧૧૦. વિજયસેનસૂરિ નાગેન્દ્ર ગરછના આચાર્ય હતા, અને પિતૃપક્ષે વસ્તુપાળના કુલગુરુ હતા, આથી વસ્તુપાળે બંધાવેલાં મન્દિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ એમને હસ્તે થઈ હતી. વિજયસેનસૂરિનાં સલાહ અને સધને પરિણામે વસ્તુપાળ અને તેજપાળને મન્દિર બંધાવવામાં, ગ્રન્થભંડારો સ્થાપવામાં અને સંઘયાત્રા કાઢવામાં પ્રેરણા મળી હતી. ૨૦ નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ ૧૧૧. વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય ઉદયપ્રભસૂરિએ પિતાના ધર્માલ્યુદય” મહાકાવ્યની પ્રશરિતમાં તથા “ઉપદેશમાલા” ઉપરની સ્વરચિત ટીકાને અંતે ૧૧૬. આદિપર્વ, ૧૧-૬ લગભગ આ જ આશયના બીજા બ્લેક માટે જુઓ આદિપર્વ, ૩-૬૩. ૧૧૭. પ્રાર્જ લે સં, નં. પર૩ ૧૧૮. “ધર્માસ્યુદય” મહાકાવ્ય, ૧-૧૪ ૧૧૯. કીકી, ૧-૨૩ ૧૨. વચ, ૫-૧૨૦ થી આગળ; ૬-૬૩ થી અને ૬૧૩ થી આગળ; ૭-૩૩૩ થી આગળ; ૮-૧ થી આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy