SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ગિણધર ૨૬] ગણધરવાદ : વિષયોની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અને જીવના પર્યાયે તેનાથી અભિન્ન હોવાને લીધે જીવ તે તે વિજ્ઞાનરૂપે ભૂતથી ઉત્પન્ન થાય છે, એમ કહેવું તે ઉચિત જ છે. (૧૫૯૩) “તન્યવાનું વિનરાતિ”નો અર્થ એ છે કે જ્ઞાનના આલમ્બનરૂપ ભૂતે જ્યારે યરૂપે વિનાશને પ્રાપ્ત કરે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલ વિજ્ઞાનઘન પણ નષ્ટ થઈ જાય છે. અર્થાત ઘટાદિની શેયરૂપતા જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે ઘટવિજ્ઞાનાદિ આત્મપર્યાય પણ નષ્ટ થઈ જાય છે. ઉક્ત પર્યાય વિજ્ઞાનઘન-જીવથી અભિન્ન હોવાથી વિજ્ઞાનઘન-જીવનો પણ નાશ થઈ જાય છે, એમ કહેવું અનુચિત નથી. વિષયનું વ્યવધાન, તેનું સ્થગિત થઈ જવું–હયાતીમાંથી લેપાઈ જવું, અન્ય વિષયમાં મનને જોડવું, ઈત્યાદિ કારણોને લઈને જ્યારે આત્મા અન્યવિષયમાં ઉપગવાળો થાય છે ત્યારે ઘટાદિની શેયરૂપતાનો નાશ થાય છે, અને પટાદિની શેયરૂપતા ઉત્પન્ન થાય છે, તેથી આત્મામાં ઘટાદિ વિજ્ઞાન નષ્ટ થાય છે અને પટાદિ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. સારાંશ એ છે કે ઘટાદિ વિય ભૂતથી ઘટવિજ્ઞાનાદિ પર્યાયરૂપે વિજ્ઞાનઘન-જીવ ઉત્પન્ન થાય છે અને કાલક્રમે વ્યવધાનાદિ કારણે જીવની અન્ય વિષયમાં ઉપગની પ્રવૃત્તિ થવાથી જ્યારે ઘટાદિ ભૂતોની વિયરૂપતા નષ્ટ થાય છે ત્યારે ઘટાદિ જ્ઞાન પર્યાયરૂપે વિજ્ઞાનઘન–જીવનો પણ નાશ થાય છે. (૧૫૯૪) આ પ્રકારે આત્મા પૂર્વ પર્યાયના વિગમ-નાશની અપેક્ષાએ વિગમવ્યય સ્વભાવ વાળો છે અને અપરપર્યાયની ઉત્પત્તિની અપેક્ષાએ સંભવ-ઉત્પાદ જીવ નિત્યાનિત્ય છે સ્વભાવવાળો છે. આપણે જોયું કે ઘટાદિ વિજ્ઞાનરૂપ ઉપયોગને નાશ થવાથી પટાદિ વિજ્ઞાનરૂપ ઉપગ ઉત્પન્ન થાય છે; આથી જીવમાં ઉત્પાદ અને વ્યય એ બન્ને સ્વભાવ હોવાથી તે વિનાશી સિદ્ધ થાય છે, પણ વિજ્ઞાનની સંતતિની અપેક્ષાએ વિજ્ઞાનઘન-જીવ અવિનાશી—ધવ પણ સિદ્ધ થાય છે. સારાંશ કે આત્મામાં સામાન્ય વિજ્ઞાનને અભાવ તો કયારેય થતો જ નથી, વિશેષ વિજ્ઞાનનો અભાવ થાય છે તેથી વિજ્ઞાન સંતતિ-વિજ્ઞાન સામાન્યની અપેક્ષાએ જીવ નિત્ય છે, પ્રવ છે, અવિનાશી છે. આ પ્રકારે સંસારની બધી વસ્તુ ઉપાદ, વ્યય અને ધવ્ય એમ ત્રિસ્વભાવ છે. કોઈપણ એવી વસ્તુ નથી જેને સર્વથા વિનાશ થઈ જતો હોય અથવા સર્વથા અપૂર્વ ઉત્પાદ થતું હોય. (૧૫૯૫) ર ઘેર સંજ્ઞાતિ” એ વાક્યાંશનો ભાવ આ પ્રમાણે છેજ્યારે અન્ય વસ્તુમાં ઉપયોગ પ્રવૃત્ત થાય છે ત્યારે પૂર્વ વિષયનું વિજ્ઞાન તો ચાલ્યું ગયું હોવાથી પહેલાની જ્ઞાનસંજ્ઞા હોતી નથી, કારણ કે તે વખતે જીવને ઉપગ સાંપ્રત–વર્તમાન વસ્તુ વિશેનો હોય છે. સારાંશ એ છે કે જ્યારે ઘટોપયોગ નિવૃત્ત થઈ પટેગ પ્રવર્તી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy