SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ યદચ્છાવાદ પ્રચલિત હતા. કાઈ પણ નિયત કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે એવું આનુ મંતવ્ય છે. યદા' શબ્દના અર્થ અકસ્માત છે;૧ અર્થાત્ કાઈ પણ કારણ વિના. મહાભારતમાં યદચ્છાવાદના ઉલ્લેખ આવે છે.ર આ જ વાદને ન્યાયસૂત્રકારે અનિમિત્ત-નિમિત્ત વિના જ ભાવની ઉત્પત્તિ થાય છે, કાંટાની તીક્ષ્ણતાની જેમ, એમ કહીને ઉલ્લેખ્યા છે, અને તેનુ નિરાકરણ પણ કર્યું. છે. એટલે અનિમિત્તવાદ, અકસ્માતવાદ અને યદચ્છાવાદ એક જ છે એમ માનવું જોઈએ. કેટલાક લેકે સ્વભાવવાદ અને યદાવાદને એક જ માને છે, પણ તે બરાબર નથી. સ્વભાવવાદીએ સ્વભાવને કારણુ કહે છે, પણ યદચ્છાવાદીએ તા કારણને સ્વીકાર જ કરતા નથી, એ બન્નેમાં ભેદ છે.૪ નિયતિવાદ નિયતિવાદના સર્વ પ્રથમ ઉલ્લેખ શ્વેતાશ્વતરમાં છે, પણ તેમાં કે અન્યત્ર ઉપનિષદમાં એ વાદ વિશે વિશેષ વિવરણ નથી મળતું . નિયતિવાદ વિશે જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકમાં ધણી માહિતી આપવામાં આવી છે. ભગવાન બુદ્ધે ઉપદેશ દેવા શરૂ કર્યાં ત્યારે જ્યાં ત્યાં નિયતિવાદીએ પેાતાના મતને પ્રચાર કરતા હતા અને ભગવાન મહાવીરને પણ નિયતિવાદીએ સામે ઝૂઝવું પડયું હતું. આત્મા અને પરલેાક માન્યા છતાં સ ંસારમાં જીવાની જે વિચિત્રતા છે તેમાં ખીજું કશું જ કારણ નહિ, પણ માત્ર એ બધું તે જ પ્રકારે નિયત છે અને નિયત રહેવાનુ છે એવી તેમની માન્યતા હતી. છવી નિયતિચક્રમાં ફસાયેલા છે. એ ચક્રને બદલવાની શકિત જીવમાં છે નહિ. એ નિયતિચક્ર સ્વયં ફર્યા કરે છે અને તે જીવાતે એક નિયતક્રમમાં જ્યાં ત્યાં લઈ જાય છે, અને એ ચક્ર પૂરું થયે જીવાના સ્વત: મેક્ષ થઈ જાય છે. આવે વાદ જ્યારે મનુષ્યની બુદ્ધિ હારી જાય છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. ત્રિપિટકમાં પૂરણ કાશ્યપ અને મંખલી ગેાશાલકનાખ મતાનું વર્જુન આવે છે. એકના વાદને અક્રિયાવાદ'' અને ખીજાના વાદને નિયતિવાદ' કહેવામાં આળ્યો છે. પણુએ બન્નેમાં સિદ્ધાન્તતઃ વિશેષ ભેદ નથી. આ જ કારણે આગળ જતાં પૂરણુ કાશ્યપના અનુયાયીઓ આવકામાં એટલે કે ગોશાલકના અનુયાયીએામાં ભળી ગયા હતા. આજીવા અને જૈનમાં આચાર અને તત્ત્વજ્ઞાનની બાબતમાં અધિક સામ્ય હતું, પરંતુ ભેદ્દે મુખ્યત્વે નિયતિવાદ અને પુરુષાર્થવાદના હતા. ભગવાન મહાવીરે અનેક પ્રસિદ્ધ નિયતિવાદીએ ના મતનું પરિવર્તન કર્યું હતું. તેના દાખલા જૈન આગમેામાં મળે છે. એટલે ધીરે ધીરે આજીવા જૈતામાં ભળીને લુપ્ત થઈ ગયા હોય એવા સભવ છે. પકધને મત પણ અક્રિયાવાદી હોવાથી નિયતિવાદમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ગોશાલકના નિયતિવાદનું વર્ણન સામ--lકલસુત્તમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે : પ્રાણીએ ની ૧. ન્યાયભાષ્ય ૩. ૨. ૩૧. ૨. મહાભારત શાંતિપર્વ, ૩૩. ૨૩. ૩, ન્યાયસૂત્ર ૪. ૧. ૨૨. ૪. જુએ. પ’. ભૂિષણુકૃત ન્યાયભાષ્યને અનુવાદ ૪, ૧, ૨૪. ૫. દીનિકાય-સામ--ગફૂલ સુત્ત ૬. જીદ્દરિત (દેશાંખી), પૃ૦ ૧૭૯. ૭. આજીવાના નિયતિવાદ વિશે વિસ્તૃત વણુન માટે જુએ ઉત્થાન' મહાવીરાંક, પૃ૦ ૭૪. ૮, ઉપાસકદશાંગ, અ૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy